SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજને ઉપદેશ નથી. નાના, મોટા, રોગી એમ બધા નિર્ચને જે ગુણે અખંડિતપણે પાળવા પડે છે, તે આ પ્રમાણે છે. તે અઢાર સ્થાનમાંથી કોઈ પણ એકમાં ખલન પામનાર સાધુ નિગ્રંથ મટી જાય છે. [૧-૭] ૧. તે અઢારમાં પ્રથમ અહિંસા છે, એમ મહાવીર ભગવાને જણાવ્યું છે. તે ભગવાને અહિંસાનું બહુ સૂક્ષમ સ્વરૂપ વિચાર્યું છે, અને સર્વ પ્રકારનાં પ્રાણીઓને દુઃખ ન થાય તે રીતે આત્મનિગ્રહી રહેવાનું ઉપદેશ્ય છે. જગતમાં નાનાંમોટાં, સ્થાવર કે જંગમ જે કોઈ પ્રાણીઓ છે, તે બધાં જીવવા ઇરછે છે, મરવા ઈચ્છતાં નથી. માટે જાણતાં કે અજાણતાં, પિતે કે બીજા મારફતે તેમની હિંસા ન કરવી. [૮-૧૦] ૨. પિતાને માટે કે બીજાને માટે, ક્રોધથી કે ભયથી, કઈ કારણે બીજાને પીડાકારી એવું અસત્ય જાતે ન બોલવું, કે બીજા પાસે ન બેલાવવું. આ લેકમાં સર્વ સાધુપુરુષોએ અસત્ય વચનની નિંદા કરી છે. કારણ કે તે બધાં ભૂતપ્રાણીઓના વિશ્વાસને ભંગ કરવારૂપ છે. માટે અસત્ય વચન કદી ન બોલવું. [૧૧-૨]. ૩. સંયમી પુરુષે નાની કે મોટી, સજીવ કે નિર્જીવ એવી કોઈ વસ્તુ – અરે દાંત ખોતરવાની સળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy