SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ગૃહસ્થના તૈયા-૨ ટીકામાંથી વિશેષ વિવરણઃ સામાયિક વ્રતધારી શ્રાવક ગૃહસ્થ પણ તેટલા સમય પૂરતે યતિ જે થાય છે. તેથી તે વ્રત ધારણ કરનારે તે દરમ્યાન દેવપૂજાદિ ન કરે. અલબત્ત, સામાયિકમાં દેયુક્ત વ્યાપારનો નિષેધ છે, અને નિર્દોષ વ્યાપારનું તે વિધાન છે, એટલે સ્વાધ્યાય પાઠ વગેરેની પિઠે દેવપૂજા કરે તે દોષ ન કહેવાય, પરંતુ યતિને જેમ દેવપૂજાદિને અધિકારી નથી, તેમજ સામાયિકધારી ગૃહસ્થનું પણ સમજવું. આ બાહ્ય પૂજદિ તે ભાવપૂજા ઉત્પન્ન કરવા માટે છે; પરંતુ, સામાયિક કરનારને ભાવપ્રાપ્તિ થઈ ગઈ, તે પછી તેને બાહ્ય પૂજાની શી જરૂર રહે ? ' સામાયિક કરનારા શ્રાવક સામાન્ય રીતે આ ચારમાંથી એક ઠેકાણે જઈ સામાયિક કરે છે : જિનમંદિરમાં, સાધુની સમીપમાં, પિષધશાળામાં, કે પિતાને ઘેર. સામાયિક વ્રતમાં ઓછામાં ઓછું એક મુહૂર્ત (૪૮ મિનિટ) બેસવાનું હોય છે. એટલે કે, વધારે બેસવું હોય તે બે મુહૂર્ત, ત્રણ મુહૂર્ત એ પ્રમાણે જ બેસવું. તે દરમ્યાન શ્રાવક, સઘળી પાપપ્રવૃત્તિઓ મન-વાણી-કાયાથી જાતે કરવાનું કે બીજા પાસે કરાવવાનું છોડવાને, તેમાંથી નિવૃત્ત થવાને, તેમને આત્મસાક્ષીએ નિંદવાને, ગુરુની સમક્ષ ગહેવાને તથા પિતાની જાતને તેમાંથી છોડાવવાને નિયમ લે છે. સ્થિર ચિત્તવાળા સામાયિક વ્રતધારી ગૃહસ્થનાં સંચિત કર્મો પણ ચંદ્રાવતંસકની પેઠે ક્ષીણ થઈ જાય છે. [૩/૮ર-૩] ૧. “જ્યાં સુધી પ્રાણી સામાયિક ગ્રહી સ્થિરચિત્ત રહે ત્યાં સુધી, તથા જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મને નાશ કરે છે. શ્રાવક સામાચિક કરે ત્યારે સાધુ જેવો થાય છે, માટે ઘણી વાર સામાયિક કરવું જોઈએ.” ૨. પિષધાદિ કરવા માટેનું અલગ મકાન, ૩. તેની કથા એવી છે કે, તે રાજ રાત્રે, “દી સળગતે રહેશે ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy