SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ગૃહસ્થોાગની તૈયારી -૨ - 33 * તો તાળવું ફાટી જાય; ગળામાં વાળ ચોટવાથી સ્વરભંગ થાય, વગેરે દોષો રાત્રીભાજનમાં બધા જાણે જ છે. ઉપરાંત, રાતે રાંધવામાં પશુ ઘણા જીવોને નાશ થાય; રાતે વાસણુ ધાવામાં પણ ઘણાં જંતુ નાશ પામે; તેમજ પાણી ઢોળવામાં પણ જમીન ઉપરનાં જંતુ નાશ પામે. રાત્રે ન રાંધેલી એવી લાડુ જેવી અચેતન વસ્તુઓ, તેમજ ફળ વગેરે વસ્તુઓ પણ રાત્રે ન ખાવી; કારણ કે દેખી પણ ન શકાય એવા જંતુએ રાત્રે હોય છે જ. જેમને કેવળજ્ઞાન થયું છે એવા મહાપુરુષોએ રાત્રે નિજતુક આહારના અભાવ હાવાથી રાત્રીભેાજનની મના કરી છે; તેથી જૈનધર્મીએ તે રાત્રે કદી જ ન ખાવું. અરે પરધર્મી પશુ॰ રાત્રે ખાવાની મના કરે છે, જેમકે: • સૂર્ય વેદત્રયીના તેજવાળા છે, એમ વેદ જાણનારાઓ કહે છે; માટે તેના તેજથી પવિત્ર થાય તે રીતે બધું શુભ કર્મ કરવું. એટલે કે, સૂર્ય` આથમી ગયા હૈાય ત્યારે આહુતિ, સ્નાન, શ્રદ્ધા, દેવપૂજા, દાન તથા ખાસ કરીને ભાજન ન કરવાં.’ દિવસના આઠમા ભાગમાં જે વખતે સૂર્ય` મ`દ થવા આવે છે, તે ભાગને નક્ત' કહે છે. તે વખતે ભાજન કરવું; · નક્ત ના અ ‘રાત્રી' ન કરવો. વળી કહ્યું છે કે, ' દેવો દિવસના પૂર્વ ભાગમાં ખાય છે; ઋષિએ દિવસના મધ્ય ભાગમાં ખાય છે; પિતૃ દિવસન પાશ્ર્લે પહેારે ખાય છે; સાયંકાળે દૈત્યો અને દાનવો ખાય છે; સંધ્યાકાળે ચા અને રાક્ષસેા ખાય છે; પરંતુ, એ બધી વેળા વટાવીને રાત્રે ખાવું એ તો અભેાજન જ છે.' આયુર્વેદમાં પણ કહ્યું છે કે, · શરીરમાં એ કમળ છે નીચા માંવાળું હૃદયપદ્મ, અને ઊંચા માંવાળું નાભિપદ્મ. રાત્રે તે અને કમળેા સકાચાઈ જાય છે; માટે રાત્રે ન ખાવું. વળી રાત્રે ખાવામાં સુક્ષ્મ જીવા ખવાઈ જાય તે કારણ તો છે જ.' ચારે આજુથી જીવજંતુ આવીને અંદર પડતાં હોય તેવું રાત્રીભેાજન કરનારા મૂઢે રાક્ષસાથી કઈ બાબતમાં જુદા છે? દિવસે તેમજ રાત્રે જે ખા ' ૧. આ ઉલ્લેખા માટે જુએ પુસ્તકને છેડે પૂર્તિ ન. ૪. મે ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy