SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ २९ બંને ગ્રંથમાં છેક જ એકસરખો છે. ઉપરાંત, પ્રાણાયામથી પ્રાપ્ત થતા પરશરીરપ્રવેશસિદ્ધિ સુધીના ફળનું લાંબું તથા વિગતપૂર્ણ વર્ણન કર્યા છતાં બંને ગ્રંથે તેની નિરુપયેગિતા અને અનર્થકારિતાની બાબતમાં પણ એકમત છે! “જ્ઞાનાવની બાબતમાં તે હજુ એટલું પણ કહી શકાય કે, ર૧૦૦ થી પણ વધારે કેવાળા તે ગ્રંથમાં સે જેટલા કે જ પ્રાણાયામ જેવા પિતે નિરુપયેગી માનેલા વિષય માટે શુભચંદ્ર રોક્યા છે; પરંતુ “ગશાસ્ત્ર” માં તે કુલ ૧૦૦૦ શ્લેકમાંથી ૩૦૦ જેટલા સ્લકે નિરુપયેગી માનેલા પ્રાણાયમ પાછળ રોક્યા છે ! “ જ્ઞાનાવ” માં તે પવનજયથી થતા કાળજ્ઞાનની વિગતે જ આપી છે; “યોગશાસ્ત્ર” માં તે તે ઉપરાંત શુકન, તિષ વગેરેથી પણ કાલશાન જાણવાની અપ્રાસંગિક વસ્તુઓ વધારાની ઉમેરી છે. એટલે કે, “ જ્ઞાનાવમાં આપેલી તે ચર્ચામાં “યોગશાસ્ત્ર” જે કાંઈ સુધારવધારો કર્યો હોય, તે તે એટલે જ છે કે, પોતે જ નિરુપયોગી માનેલી વસ્તુના વર્ણનમાં પાછી બીજી અપ્રાસંગિક બાબતો તેણે ઉમેરી છે ! એ ઉપરાંત “ગશાસ્ત્રમાં ચોથા પ્રકાશમાં “અથવા કહીને આત્મા પિતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, અને આત્મા ઉપરના કષાયાદિ દોષ દૂર કરવા એ જ મેક્ષ છે” એ જાતનું જે નિરૂપણું શરૂ કર્યું છે, તથા તેમાં કષાયજયને ઉપાય ઈદ્રિયજય, ઈદ્રિયજયને ઉપાય મનઃશુદ્ધિ, તેને ઉપય રાગદ્વેષને જય, તેને ઉપાય સમત્વ, અને સમત્વની પ્રાપ્તિ એ જ યાન માટેની મુખ્ય લાયકાત, એ જે કેટીક્રમ રજૂ કર્યો છે, તે પણ શબ્દશ: અને અર્થશઃ “જ્ઞાનાવરના ૨૧ થી ૨૭ સુધીના સર્ગોની સમાન છે. અનિત્યાદિ ભાવનાઓનું વર્ણન તેમજ અહિંસાદિ મહાવ્રતનું વર્ણન અલબત્ત બંને ગ્રંથમાં એક જ શબ્દોમાં નથી, પરંતુ એક જ શિલીનું છે, એ તે ઉઘાડું છે. ઉપરાંત તેમાંય તરત જ ધ્યાન ખેંચે તેવું શબ્દસામ્ય પણ ઠેર ઠેર આવીને ઊભું રહે છે. બંને ગ્રંથમાં જે એકમાત્ર તફાવત હોય તે એ છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy