SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ યોગશાસ્ત્ર છે. તે અને વર્ણીને દાન, અધ્યયન અને યજ્ઞ એ ત્રણુ ધર્યાં તે સમાન જ છે.’ [ ૧૦-૭૯ ] ' આ પ્રમાણે પોતપોતાનાં નિયત કર્યાંથી આવિકા કરી શકાય તેમ ન હોય ત્યારે શું કરવું, તે જણાવતાં મનુ કહે છે : · બ્રાહ્મણુ પોતાના અધ્યાપનાદિ કાય થી આવિકા ન કરી શકે, તો તે ક્ષત્રિયધમ વડે આવિકા કરે. અને તેનાથી પણ ન વી શકાય તેમ હોય તે ખેતી, અને પશુપાલન રૂપી વૈશ્યત્તિ સ્વીકારે.' [ ૧૦,૮૧-૨ ] * પરંતુ, ખેતીના અણુગમા મનુને પણ જેને જેટલેા જ છે. તે જણાવે છે : બ્રાહ્મણુ કે ક્ષત્રિય આપદ્ધમ તરીકે વૈશ્યવૃત્તિથી નિર્વાહ કરતા હાય તાપણુ, હિંસાપ્રધાન અને પરાધીન એવી ખેતીને તો યત્નપૂર્ણાંક તજે, કેટલાક ખેતીને સારી માને છે; પરંતુ તે કમ` સત્પુરુષોએ નિંદેલું છે. કારણ કે, હળની લેાઢાની અણી વડે ભૂમિ, તેમજ ભૂમિસ્થ વેાને ચીર્યાં વિના ખેતી થઈ શકતી નથી. માટે બ્રાહ્મણુ કે ક્ષત્રિય પોતાનાં ખાસ કર્મોથી નિર્વાહ થતા ન હેાય ત્યારે, વૈશ્યા જે જે પદાર્થોના વેપાર કરે છે તેમાંથી નીચેના પદાથૅ ત્યાગીને વેપાર વડે ધનપ્રાપ્તિ સાધે. પ્રથમ તા, સરસાના ત્યાગ કરે; તે જ પ્રમાણે રાંધેલું અન્ન, અને તલ; ખાણિયું મીઠુ, પશુઓ, મનુષ્યા, તમામ જાતનું રંગીન કાપડ, રંગ્યા વિનાનાં પણ શણુ, રેશમ અને ઊનનાં કાપડ, ફૂલ, મૂળ, ઔષધિ, પાણી, શસ્ત્ર, વિષ, માંસ, સામ, બધા પ્રકારના ગધેા, દૂધ, મધ, દહીં, ઘી, તેલ, મીણુ, ગાળ, દમ, હાથી વગેરે અરણ્યવાસી સ` જાનવશ, સિંહ વગેરે દટ્રાયુક્ત પશુ, પક્ષીઓ, મદ્ય, ગળી, લાખ, તથા એક ખરીવાળાં બધાં પ્રાણીએ. [ ૧૦,૮૬ ૯ ] મનુસ્મૃતિમાં તલને નિષેધ બહુ ભારે છે. તેમાં જણાવ્યું છે, ખેડૂતે જાતે ખેતી કરીને તલ પકવ્યા હોય, તો તે તેમને બહુ દિવસ 66 યાજ્ઞવલ્કયે (આચાર-૧૧૯માં) એ ઉપરાંત ‘કુસીદ' એટલે કે વ્યાજવટુ ઉમેર્યુ છે. Jain Education International , For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy