SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ એગશાસ્ત્ર આ ઉપરાંત બીજી પણ સાધના છે. હૃદયકમળમાં રહેલા, શબ્દબ્રહ્મના એકમાત્ર કારણું, સ્વર અને વ્યંજન યુક્ત, પંચપરમેઠીના વાચક, તથા પિતાની ઉપરની ચંદ્રકળામાંથી ઝરતા અમૃતરસ વડે સિંચાયેલા મહામંત્ર પ્રણવ એટલે કે ૩ઝનું કુંભક વડે ધ્યાન કરવું. આ ઝનું યાન સકામ તેમજ નિષ્કામ પણ હોય છે. સકામ ધ્યાન કરતી વખતે વિધિ આ પ્રમાણે છે : કેઈનું તંભન કરવાનું હોય ત્યારે પીળા રંગના કારનું ધ્યાન કરવું; વશીકરણ કરવું હોય કે ભ કરવો હોય ત્યારે પરવાળા જેવા રંગને કારનું ધ્યાન કરવું, તથા વિદ્વેષ કરાવવો હોય ત્યારે કાળા રંગના ૩નું ધ્યાન કરવું. પરંતુ મોક્ષને ક્ષય કરવાને અર્થે નિષ્કામ યાન કરવું હોય, ત્યારે, તેની કાંતિ ચંદ્ર જેવી શ્વેત ચિંતવવી. [૮/૩૦-૨] આ પ્રણવનું ધ્યાન-ચિંતન જૂના વખતથી કઠ, છાંદોગ્ય વગેરે જૂના ઉપનિષદગ્રંથમાં ઉપદેશાયું છે. પરંતુ અહીં જણાવ્યા પ્રમાણે તેને ધ્યાનના વિષય તરીકે પણ સ્વીકારવામાં આવે છે. જેમકે, ધ્યાનબિંદુ ઉપનિષદમાં (૧૯) જણાવ્યું છે કે, “હૃદયકમળના બીજેકેશમાં સ્થિર દીપકના પ્રકાશ જેવી આકૃતિવાળા, અંગૂઠા જેટલા અને અચલ ૐકારરૂપી ઈશ્વરનું ધ્યાન કરવું. ઈડ નાડીથી વાયુને ખેંચીને ઉદરમાં તેને સ્થિર કરી, દેહની મયમાં જવાળાઓની ટસરથી યુક્ત ૐકારનું ધ્યાન કરવું.” વળી પંચપરમેષ્ઠીના ત્રિભુવનને પાવન કરનાર મહા પવિત્ર પંચપરમેષ્ઠી નમસ્કારમંત્રનું પણ ચિંતન કરી શકાય. જેમકે, આઠ પાંખડીનું સફેદ કમળ ક૫વું. તેના બીજકેશમાં “. ઉતા ' એ સાત અક્ષરવાળું પદ ચિંતવવું. પછી “નમો સિદ્ધાંજ', “નમેn એરિયાન', ના કવાયાન', અને “મા સે સવ્વસાહૂ” એ ચાર પદોને અનુક્રમે પૂર્વ વગેરે ચાર દિશાની ચાર પાંખડીઓમાં કલ્પવાં. તથા બાકીનાં “gો પંચ નમુવાજે', “áવાવMaો ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy