SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર જય થાય. પૂછવા આવેલે માણસ જે જાણવાવાળાનું નામ પહેલું લે, અને રોગીનું નામ પછી લે, તે ઈષ્ટ વસ્તુ સિદ્ધ થાય; અને તેનાથી ઊલટું લે, તો પરિણામ પણ ઊલટું જ આવે. પૂછવા આવનાર દૂત જે ડાબે હાથે ઊભો હોય, તે લડનારા બેમાંથી સમ (બેકીવાળા) અક્ષરના નામવાળે જતે; અને જમણે હાથે ઊભો રહે, તે વિષમ (એકીવાળા) અક્ષરના નામવાળો જીતે. ભૂતને વળગાડ હોય, કે સાપ કરડ્યો હોય તે પણ માંત્રિકેએ ઉપર પ્રમાણે જ સમજવું; એટલે કે, પૂછવા આવનાર ડાબે હાથે ઊભે રહે તે સમ અક્ષરના નામવાળે જીવે; અને જમણે હાથે ઊભે રહે તે વિષમ અક્ષરના નામવાળો આવે. (૫/૨૪-૯) જ્યારે ડાબી નાડીમાં “વરુણ ૨' વાયુ ચાલતો હોય, ત્યારે આરંભેલાં કાર્યો નિઃસંશય સિદ્ધ થાય છે. જ્યારે પવન” વાયુ જમણું નાડીમાં હોય, ત્યારે જય વિત, લાભ આદિ સર્વે બાબતમાં નિષ્ફળતા મળે છે. “અનિલ”—વાયુને બરાબર જાણીને હાથમાંથી ફૂલ નાખવું, અને તે ઉપરથી મરેલા કે જીવતાને નિશ્ચય કરે. પ્રશ્ન કરતી વખતે (ઉત્તર આપનારને) “વરુણ”ને ઉદય હોય, તે લાભ ત્વરિત થાય છે; “પુરંદર” હોય તે લાંબે કાળે થાય છે; પવન હોય તે અલ્પ પ્રમાણમાં થાય છે, અને અગ્નિ હોય તે સિદ્ધ થયેલે પણ નાશ પામે છે. “વરુણ વાયુ વખતે ગયેલા માણસની બાબતમાં કોઈ પ્રશ્ન પૂછે, તે ગયેલો માણસ પાછો આવે છે; ભૌમ’ વાયુ વખતે ત્યાં જ સુખમાં રહે છે; “પવન વખતે ત્યાંથી પણ દૂર જાય છે; અને “અગ્નિ વખતે ત્યાં જ મરી જાય છે. યુદ્ધ બાબત પ્રશ્ન પૂછ્યો હોય, તે “અગ્નિ વાયુ વખતે દારુણ યુદ્ધભંગ થાય; “પવન” વખતે મૃત્યુ કે સૈન્યને વિનાશ થાય; પુરંદર” વાયુ વખતે યુદ્ધમાં ૧. એટલે કે જેને પૂછવા આવે છે તેનું નામ સંબેધન તરીકે પહેલું મૂકે. ૨. આ બધા વાયુઓની સમાજ માટે જુઓ પા. ૧૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy