SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ રામાયણની કથા [પાન ૨૫ માટે] લંકાના રાજા રાવણુના ગળામાં વડીલપર પરાથી પ્રાપ્ત થયેલી દિવ્ય નવરત્નાની એક માળા હતી. તેમાં તેનુ મુખ પ્રતિબિંબિત થવાથી તેને શ મુખ હોય તેમ દેખાતું હતું. તેણે અનેક વિદ્યાએ! સાધેલી હતી, અને તેમના પ્રતાપે તે દુષ તથા મહા બળવાન બનેલા હતા. તેના પુત્ર મેશ્વનાદે પશુ ઇંદ્ર નામના વિદ્યાધરાના રાજાને રણમાં હરાવી કુદ પકડયો હતા. રાવણે પાતાલલકા જીતીને તેનું રાજ્ય ખરને સોંપ્યું હતું તથા તેને પોતાની બહેન પરણાવી હતી. મરુત્ત નામના રાજાને મન કરતા જોઈ, તેણે તેને અહિંસાના ઉપદેશ આપી યજ્ઞ બધ કરાવ્યા હતા. અયેાધ્યાના રાજા દશરથને કૌશયાદિ રાણીએથી રામાદિ પુત્રો થયા હતા. એક વખત રાષે ભરાયેલી સુમિત્રાને મનાવવા જતાં તે રાજાએ પોતાના અંતઃપુરના વૃદ્ધ કંચુકીને જોયા. તેને જોઈ રાજાને વિચાર આવ્યા કે, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતા પહેલાં મેક્ષ માટે પ્રયત્ન કરવા જોઈએ. તેથી તેમણે રામને રાજગાદી આપવાના વિચાર કર્યાં; પરંતુ પહેલાં કાઈ વખત કૈકેયીને એ વરદાન આપેલાં તે અનુસાર કૈકેયીએ રામને ચૌદ વર્ષના વનવાસ અને ભરતના રાજ્યાભિષેક માગ્યાં. પરિણામે સીતા તથા લક્ષ્મણ સાથે રામ દંડકવનમાં પ`ચવટી આશ્રમમાં જઈને રહ્યા. ત્યાં કાઇ વાર એ મુનિ આવી ચડયા. તેમને કારણે દેવાએ કરેલી પુષ્પવૃષ્ટિથી ખેંચાઈ જટાયુ નામના ગીધ ત્યાં આવ્યો; તથા મુનિઓને ઉપદેશ સાંભળતાં પૂજન્મનું સ્મરણ થવાથી રામની પાસે રહ્યો. એક વખત લક્ષ્મણુ જંગલમાં ફળાદિ માટે બહાર ગયા ર૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy