SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. એક્ષપ્રાપ્તિ ૧૦૧ આયુષ્યકમ જેટલાં જ કરી નાખી, યાની ઉપર જણાવેલ ઉલટ ક્રમે પાછો પહેલે હતિ તેવો થઈ જાય. [૧૧/૪૯-૫૨] ત્યારબાદ, જેનું પરાક્રમ અચિંત્ય છે તે એ ગી સ્કૂલ કાગને આશરે રહી, વાણી અને મનના પૂલ મોક્ષપ્રાતિ વ્યાપાશને નિરોધ કરે; પછી સુક્ષ્મ કાયયેગને - આશરે રહી, પૂલ કાયવ્યાપારને નિરોધ કરે. જ્યાં સુધી સ્થૂલ કાયવ્યાપારને નિરાધ ન થાય, ત્યાં સુધી સૂક્ષ્મ કાયવ્યાપારને પણ નિરાધ ન થઈ શકે. પછી સૂક્ષ્મ કાયવ્યાપારને આશરે રહીને, તે વાણી અને મનના સૂક્ષ્મ વ્યાપારોનો પણ નિરોધ કરે. આટલું કર્યા બાદ તે સુક્ષ્મ ક્રિયાવાળું તૃતીય ધ્યાન આરંભી, સૂક્ષ્મ કાયવ્યાપારને પણ નિવેધ કરે. ત્યાર બાદ જેમાં સુક્ષ્મ ક્રિયાને પણ સદંતર વિચ્છેદ થયે હેય છે, તેવું ચોથું શુક્લયાન આરંભે. તેને અંતે તેનાં બાકીનાં આયુષ વગેરે ચાર અઘાતી કર્મો પણ ક્ષય પામે છે. અ, ઈ, ઉ, *, અને એ પાંચ હસ્વ સ્વરે બોલતાં જેટલે વખત લાગે, તેટલે વખત મેરુપર્વત જેવી નિશ્ચલ દશા (શેલેશી) પામીને તે એ ચારે કર્મોને એક સાથે ક્ષય કરે છે. ત્યાર બાદ, સંસારના મૂલભૂત સાધનરૂપ ઔદારિક, તેજસ, અને કામણ એ ત્રણ શરીરને ત્યાગ કરી, તે સીધી લીટીમાં એક સમયમાં જ લેકની ૧. સરખા ગસૂત્ર (૪-૪) માં જણાવેલ “નિર્માણચિત્તો” વાળાં અનેક શરીરે પેદા કરી, એક સાથે કર્મો ભોગવી નાખવાને સિદ્ધાંત. ૨. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોને સીધો ઘાત ન કરતાં હોવાથી અઘાતી કમે ાં દેવાય છે. જુઓ પ્રકરણને અંતે 2િ. ૧૩. ૩. “ઔદારિક” એટલે બહાર દેખાતું સ્થૂલ શરીર. “તેજસ” એટલે આહારદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થનારું શરીર. અને જીવે બાંધેલે કર્મસમૂહ તે “કામણ શરીર. વધુ માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ, પુસ્તક પા. ૧૮૫.દિ. ૪. (આવૃત્તિ ત્રીજી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy