SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ધ્યાન – ૧ તથા બલ અને સ્થયની વૃદ્ધિ થાય છે. “પ્રત્યાહારથી બલ પ્રાપ્ત થાય છે. “શાંતથી કાંતિ અને દેષશાંતિ પ્રાપ્ત થાય છે. તથા “ઉત્તર” અને અધર” પ્રાણાયામથી “કુંભકની સ્થિરતા પ્રાપ્ત થાય છે. [૫/૧૦-૨) આ બધા પ્રાણાયામાદિથી કશો પારમાર્થિક લાભ તે થતા જ નથી; પરંતુ, શારીરિક આરોગ્ય, મૃત્યજ્ઞાન, પરશરીરપ્રવેશ વગેરે કેટલીક અન્ય બાબતો અવશ્ય સિદ્ધ થાય છે.૧ પ્રાણાયામાદિ વિવિધ ઉપયોગથી પવનને જીતીને, શરીરગત નાડીપ્રચારને પિતાને આધીન કરીને, તેમજ માની પ્રાણાયામતિની પણ ન શકાય એવો પરશરીરવેશ પણ સિદ્ધ પરમfથવા કરીને છેવટે શું ફાયદો ! તેનાથી કાંઈ મેક્ષમાર્ગ - સધાત નથી જ. પ્રાણાયામથી મનઃસ્વાથ્ય પ્રાપ્ત થવાને બદલે ઊલટો કલેશ થાય છે. કારણ કે પૂરણ, કુંભન અને રેચન વગેરે કરવામાં શરીરને ઘણું કષ્ટ પડે છે; અને તેનાથી ચિત્તવિપ્લવ થાય છે. આમ પ્રાણાયામ ઊલટો મુક્તિમાં વિઘકારક છે. [ ૬/૧-૫] માટે, મનને ઈદ્રિ સહિત વિષયમાંથી ખેંચી લઈ, પ્રશાંતત્યાર બુદ્ધિવાળા પુરુષે ધર્મધ્યાનને અર્થે નિશ્ચલ કરવું. તેને પ્રત્યાહાર કહે છે. એ પ્રમાણે વિષયમાંથી પાછી ખેંચેલા મનને પછી નાભિ, હૃદય, નાસાગ્ર, કપાળ, ભમર, તાલુ, આંખ, મુખ, ઘાર કાન, માથું એ બધાં સ્થાનોમાં નિશ્ચલ કરવું. પૂર્વેના લોકોએ એ બધાં ધારણાનાં સ્થાને વર્ણવ્યાં છે. તે બધાંમાંથી કોઈ એક સ્થાનમાં મનને નિશ્ચલ કરનાર પુરુષના અનુભવમાં ગમાર્ગની ઘણી પ્રતીતિઓ ઉદ્દભવે છે. [ ૬/૬-૮] ૧.તેટલા પૂરતું તેમનું પ્રયોજન સ્વીકારી, આચાર્યશ્રીએ પછીથી તેની વિગત લંબાણથી મૂળ ગ્રંથમાં આપી છે. તે માટે જુએ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧૭. ૨. સરખાવો યોગસૂત્ર (૩-૧) કરાવશ્વશ્વરજી ધારા અન્ય ગ્રંથમાં વર્ણવેલાં ધારણાનાં સ્થળે તથા તેનાથી થતી પ્રતીતિઓ વગેરે માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy