SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તાં મળ રીતે છું અથવા તપ આ યોગશાસ્ત્ર સંસારનાં કારણભૂત કર્મોને આત્મા ઉપરથી ખેરવી નાખવાં તેને પરિભાષામાં “નિજર કહે છે. તે સકામ અને ૧. નિર્ગ-માવના અકામ એમ બે પ્રકારની છે. સંયમી પુરુષ ઈરાદા ' પૂર્વક તપ આદિ ઉપાય વડે કર્મ ખંખેરી નાખે છે, તે “સકામ નિર્જરા” કહેવાય; પરંતુ અન્ય પ્રમાદી નું કર્મ તેનું ફળ ભોગવાયા બાદ દૂર થાય છે, તે “અકામ નિજરા” કહેવાય. અંધાયેલું કર્મ બે રીતે ટું પડે છેકાંતો તેનું ફળ ભેગવાઈ જવાથી તે આપોઆપ છૂટું પડી જાય છે, અથવા તપ આદિ ઉપ વડે તેનું ફળ ભોગવાતા પહેલાં તેને છુટું પાડી શકાય છે. જેમ સેનું અશુદ્ધ હોય તે પણ અગ્નિ વડે તેને શુદ્ધ કરી શકાય છે, તેમ તપરૂપી અગ્નિ વડે કર્મો બંધાવાથી મલિન થયેલે ધ પણ શુદ્ધ થઈ શકે છે. અનશન (ઉપવાસ), ઊણું પિટ રાખીને ખાવું (ઉદરી), વિવિધ વસ્તુઓની લાલચને ટૂંકાવવી (વૃત્તિસંક્ષેપ), तप ઘી, દૂધ, દારૂ, તથા મધ વગેરે વિકારકારક રસોને ત્યાગ કરવો (રસપરિત્યાગ), બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું (વિવિક્તશાસનસંલીનતા), અને ટાઢમાં, તડકામાં કે વિવિધ આસનાદિક વડે શરીરને કસવું (કાયલેશ), એ છ બાહ્ય તપના ૧. અનશન એટલે કે આહારત્યાગ બે પ્રકારનું હોય છે. થોડા વખત માટે (ઇત્વરિક) કેચાવજીવિક. તેમાં ત્વરિક અનશન મહાવીરના તીર્થમાં છ માસ સુધીનું છે; ઋષભદેવના વખતમાં એક વર્ષ સુધીનું હતું અને વચલા ૨૨ તીર્થકરોના વખતમાં આઠ માસ સુધીનું હતું. ૨. સામાન્ય કદના ૩૨ કેળિયા એ પુરુષને આહાર છે; અને ૨૮ કેળિયા એ સ્ત્રીને આહાર છે. તેમાંથી જેટલા ઓછી કરે તેટલા પૂરતું ઉણાદરી તપ થાય. સામાન્ય રીતે ૮ કોળિયા કે ૧૨ કેળિયા કે ૧૬ કેળિયા એ નિયમ લેવાય છે. ૩. “વૃત્તિસંક્ષેપ” એટલે જે જોઈતી વસ્તુઓ માગી લાવવાની હોય, તેમને બે ત્રણ ઘેરથી જ માગીશ”, “એક શેરીમાંથી જ માગીશ” વગેરે નિયમો -વડે સંક્ષેપ સાધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy