SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રોગશાસ્ત્ર થવાથી પ્રાપ્ત થતી સમત્વરૂપી સળી વડે સાધુ કમ અને જીવને જુદાં પાડે છે. સમત્વરૂપી સૂર્યથી રાગાદિ અંધકારને નાશ થતાં રોગીઓ પિતાની અંદર પરમાત્માનું સ્વરૂપ દેખી શકે છે. સમત્વ પામેલા સાધુના પ્રભાવથી નિત્યનાં વૈરી પ્રાણીઓ પણ પરસ્પર મૈત્રી કરે છે. [૪/૪૯-૫૪] એ સમત્વ પણ નિમમત્વ પ્રાપ્ત કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ નિર્મમત્વ પ્રાપ્ત કરવા માટે અનિત્યાદિ બાર निर्ममत्व ભાવનાઓનું અવલંબને આવશ્યક છે. તે ભાવનાઓ નીચે પ્રમાણે છે: આ જગતમાં જે સવારમાં હોય છે, તે મધ્યાહુને દેખાતું નથી; જે મધ્યાહને હોય છે, તે રાત્રે દેખાતું ૨. નિયતા નથી; એ પ્રમાણે પદાર્થોની અનિત્યતા સર્વત્ર છે. માવના સર્વ પુરુષાર્થને આધારરૂપ પ્રાણીઓનાં શરીર પ્રચંડ " પવનથી કંપતા વાદળા જેવાં વિનશ્વર છે; લક્ષ્મી મોજાં જેવી ચંચળ છે; સંગમ સ્વપ્ન જેવા છે; અને યૌવન વળિયાથી ઊડેલા રૂ જેવું છે. આ પ્રમાણે જગતનું અસ્થિર સ્વરૂપ સ્થિર ચિત્તે હર ક્ષણે વિચારવું. તેનાથી તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરનાર મંત્ર જેવું નિર્મમત્વ પ્રાપ્ત થાય છે. [૪/૫૫-૬૦] , ઈકો ઉપેકો વગેરે પણ જે મૃત્યુના પંજામાંથી છટકી શકતા નથી, તે મૃત્યુના ભયમાંથી પ્રાણીને કણ શરણ આપી ૨. ગાર- શકે તેમ છે? પિતા, માતા, બહેન ભાઈ પુત્ર ભાવન ગેરે જોઈ રહ્યા હોય છે ને અસહાય વન કર્મ યમને ઘેર પહોંચાડે છે. સ્વકર્મોથી મૃત્યુને વશ થતાં સ્વજનને જોઈને લોક શોક કરે છે; પરંતુ પિતાનાં કર્મો વડે નાશ પામતા પિતાના આત્માને શેક તે ખૂબુદ્ધિવાળાઓ કરતા નથી. દાવાગ્નિથી ભભકતા વનમાં જેમ મૃગના બચ્ચાનું કેઈ શરણ નથી, તેમ દુઃખરૂપી દાવાગ્નિથી સળગતા સંસારરૂપી વનમાં પ્રાણીનું કઈ શરણ નથી. [૪૬૧-૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy