SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. આત્મજ્ઞાનનાં સાધન ક સર્પિણીને જગતના અનંદનું કારણુ એવી ઋજુતા (સરળતા) રૂપી મહા ઔષધથી જીતવી. [૪/૧૫-૭] ४. लोभ લાભ એ સવ દોષોની ખાણુ છે; ગુણાને ગ્રાસ કરી જનાર રાક્ષસ છે; દુઃખરૂપી વેલનેા કંદ છે; અને ધમ, અર્થ કામ અને મેક્ષ એમ ચારે પુરુષાર્થોના નાશક છે. લાભ શરૂઆતમાં તો બહુ ઘેાડા દેખાય છે, પણ પછી કૂદકે ને ભૂસકે વધતા જાય છે. તદ્દન ગરીબને સા જ જોઈ એ છે; સાવાળાને હજાર જોઈએ છે; હારવાળાને લાખ જોઈએ છે; લાખવાળાને કરાડ જોઈ એ છે; કરોડવાળાને રાજાપણુ જોઇએ છે; રાજાને ચક્રવતી પણુ જોઇએ છે; ચક્રવતી ને દેવપણુ જોઈએ છે, ને ઇન્દ્ર જોઈ એ છે, અને ઇંદ્રપણું મળ્યા પછી પણ ઇચ્છાની નિવૃત્તિ તા થતી જ નથી. લાભરૂપી અતિ ઊછળતા સાગરને બુદ્ધિમાન પુરુષે સ ંતોષરૂપી સેતુ બાંધી આગળ વધતા અટકાવવા. ટૂંકામાં, ક્ષમાથી ક્રોધને, મૃદુતાથી માનને, ઋજીતાથી માયાને અને સંતોષથી લાભને જીતવા. [૪/૧૮-૨૩] પરંતુ ઇંદ્રિયાને જીત્યા વિના કષાયા જીતી શકાતા નથી. સાનાને પિગાળવું હોય તો પ્રજ્વલિત અગ્નિ જ જોઈ એ. પાંચ દ્રિયોનો જેના ઈંદ્રિયરૂપી ઉન્માગ`ગામી ચંચળ અશ્વો અનિયંત્રિત છે, તેને તેઓ ઝટ નરકરૂપી અરણ્યમાં ખેચી જાય છે, જે માણસ દ્રિયાથી જિતાયેલા છે, તેને કષાયા जय ઝટ અભિભૂત કરી શકે છે. બળવાન પુરુષોએ પહેલાં જેની એક ઈંટ ખેંચી કાઢી હોય, તેવી ભીંતને પછી ગમે તેવા માણસા તોડી શકે છે. ન જિતાયેલી ઇંદ્રિયા માણસના કુળનો નાશ કરે છે, તેનું અધઃપતન સાધે છે, તેને નિયંત્રણમાં નખાવે છે, કે તેને વધ કરાવે છે. હાથિણીનું સ્પેસુખ અનુભવવા ડગલું ભરતા હાથી તે જ ક્ષણથી ધનનું દુ:ખ પ્રાપ્ત કરે છે. અગાધ પાણીમાં વિચરનારું માલૢ પણુ આંકડા ઉપરના ગલના સ્વાદ કરવા જતાં માછીના હાથમાં સપડાય છે. હાથીના મદની ગંધથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy