________________
- પાપ, પુણ્ય અને સંયમ પ્રકારે તૈયાર કરતો. તે ઉપરાંત બીજા પણ ઘણું માંસરસે તે બનાવતે, તેમજ અનેક પ્રકારનું લીલું શાક પણ રાંધતો. ત્યારબાદ મિત્ર રાજા ભેજનશાળામાં જમવા બેસે ત્યારે તેને તે બધું પીરસતો. પોતે પણ તે બધાં માંસ, માંસરસ અને શકે ખૂબ ખાતો અને દારૂ પીતો. આ પ્રમાણે કરતાં કરતાં ૩૩૦૦ વર્ષનું પોતાનું આયુષ્ય પૂરું કરી તે શ્રીદ રસોઈયે મરણ પામીને છઠ્ઠી નરકભૂમિમાં ઉત્પન્ન થયે. - હવે પેલા સમુદ્રદત્ત માછીની સ્ત્રી સમુદ્રદત્તાને છોકરાં જીવતાં નહોતાં. તેથી તેણે તે નગરની બહાર આવેલા શૌરિકયક્ષના મંદિરમાં જઈને તે યક્ષની માનતા રાખી. પરિણામે તેને પુત્ર થયો. તેનું નામ શૌરિકદર પાડવામાં આવ્યું; તથા તે ખૂબ લાડ-પાડથી ઊછરવા લાગ્યા. પછી ઉમરે આવતાં, તથા સમુદ્રદત્ત મરણ પામતાં, તે માછીમારોને મુખિયે બન્યું. તેના કેટલાય કરો સવારના પહોરમાં જ યમુના નદીમાં મછવા લઈને જતા અને ધરાઓને ઉલેચીને, ગાળીને, કે તેમાં ઘૂમીને, તેમને ડહોળીને, કે તેમને વહાવી દઈને જુદાં જુદાં સાધન વડે નાનાંમોટાં એમ જુદા જુદા અનેક પ્રકારનાં માછલાં પકડી પકડી મછવા ભરતા; અને ઘેર
૧. તે સાધનાનાં નામ મૂળમાં આ પ્રમાણે આપ્યાં છે. તેમના અર્થ વ્યવહારમાંથી જાણું લેવાનું ટીકાકાર જણાવે છે:
प्रपंचुल, प्रपम्पुल, जम्भा, त्रिसरा, भिसरा, घिसरा, विसरा દિલ્દીથી, શિક્ઝરી, સ્જિર, ગાઢ (જાળ), ૪ (ગળ), ટપારા, વરથર (રેસાઓની જાળ), ત્રબંધ (સૂતરની જાળ), રાજીવંઘ (વાળની થેલી જાળ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org