________________
-
પાપ, પુણ્ય અને સંયમ ચડાવી. ત્યાર બાદ ધૂપાદિ કરીને તે પગે લાગી અને ઉપર પ્રમાણે માનતા રાખીને ઘર તરફ પાછી ફરી.
ત્યાર બાદ પેલો ધવંતરિ વૈદ્યને જીવ નરકમાંથી વી, ગંગદત્તાના ગર્ભમાં પુત્ર તરીકે આવ્યો. ત્રણ માસ પૂરા થતાં ગંગદત્તાને બધી ખાન-પાનાદિસામગ્રી સાથે નગર બહાર સરોવરકિનારે ઉજાણ કરવાનો દેહદ થયે; તથા શેઠની અનુમતિથી તે દેહદ તેણે ભારે ધામધૂમથી પૂરો કર્યો. તે વખતે ઉંબરદસ્ત યક્ષના મંદિરમાં જઈ તેની પણ તેણે ખૂબ પૂજા-અર્ચા કરી. ત્યારબાદ નવ માસ પૂરા થતાં તેણે પુત્રને જન્મ આપ્યો. ઉંબરદયક્ષની બાધા રાખવાથી તે પુત્ર જન્મે હેવાથી, માતપિતાએ તેનું નામ ઉબરદત્ત પાડયું.
પછી તે ઉંબરદત્ત પાંચ પાંચ ધાવ તથા સેંકડે દાસદાસીઓ વચ્ચે કાળજીથી ઉછેરાતો મોટો થવા લાગ્યો. એક વખત સાગરદત્ત શેઠ વહાણ ભરી વેપાર કરવા દરિયામાગે નીકળ્યા. રસ્તામાં વહાણ ડૂબતાં તે મરણ પામ્યા. તેમના મરવાના સમાચાર સાંભળી ગંગદત્તા શેઠાણી પણ મરણ પામ્યાં. સાગરદત્ત શેઠની જે કાંઈ ઉધરાણું હતી, તે પણ ઉંબરદત્તને નાને તથા નબાપે જાણી દેણદારે દબાવી પડયા; તથા અંતે
જદાર વગેરેએ તેને ઘર બહાર હાંકી કાઢો. ત્યારબાદ તે છોકરાને ભૂખ-દુઃખથી ધીમે ધીમે એક સાથે સોળ રોગે થયા. એ બધા રંગનું દુઃખ સહન કરતે તે ઉંબરદત્ત હવે હાથમાં ફૂટલું ફૂલડું-શરાવલું લઈ ભીખ માગતો ફરે છે.
ગૌતમ ઃ હે ભગવન ! ઉંબરદત્ત મરણ પામી કયાં જશે?
મહાવીરઃ હે ગૌતમ! ઉંબરદત્ત પિતાનું ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરી, અહીંથી મરણ પામી રત્નપ્રભા નરકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org