________________
ઉગરદત્તની કથા
હ
સવાર થતાં જ હું સાગરદત્ત સંધવીને પૂછીને ખૂબ પુષ્પવસ્ત્ર—ગ ધ–માલ્ય—અલંકાર લઈ ને, મિત્ર-નાતીલા–પેાતીકા– સ્વજન—સંબંધી—પરિજન વગેરેની સ્ત્રીઓને મેલાવીને નગર અહાર જ્યાં ઉબરદત્ત યક્ષનું મંદિર છે, ત્યાં જઈશ; તથા ત્યાં કીમતી વસ્તુઓ વડે તે યક્ષની પૂજા-અર્ચી કરીને તેમને પગે પડીને માનતા રાખીશ, કે જો મને છોકરા કે છેાકરી શે, તા હું તમારી રાજની પૂજાની રકમ વધારી આપીશ, તમારે મંદિરે થતા દાનની રકમમાં વધારા કરીશ, અમારી કુલ આવકમાંથી તમને અપાતા ભાગ વધારી આપીશ, તથા તમારા દેવભંડારમાં વધારે કરી આપીશ.
બીજે દિવસે સાગરદત્તને પેાતાને નિશ્ચય જણાવતાં સાગરદત્ત ગંગદત્તાને ખુશીથી તેમ કરવાની રજા આપી. પછી, ગંગદત્તા પેાતાનાં સગાંસમૃધી વગેરેની અનેક સ્ત્રીઓ સાથે ઘેરથી નીકળી, અને સરેાવરમાં નાહી ધાઈ, તિલકઅક્ષત આદિ કરી, ભીને કપડે જ પૂજાની સામગ્રી લઈને યક્ષના મંદિરમાં ગઈ, અને ત્યાં મૂર્તિનાં દર્શીન થતાં જ તેને પગે પડી. પછી પૂંજણી હાથમાં લઈને મૂર્તિને પૂજીને પાણીની ધારથી તેને અભિષેક કર્યો; પછી સુગંધી ખરીક વસ્ત્ર વડે તેને લૂછીને પેતે આણેલાં નવાં વસ્ત્ર પહેરાવ્યાં, તથા કીમતી પુષ્પ-વસ્ત્ર-માલ્ય—ગધ-ચૂર્ણ વગેરે વસ્તુઓ
૧. મૂળમાં તે ઋતુનુંજ શબ્દ છે. કૌતુકમ એટલે ઉતાર ઉતારવા, નજર ન લાગે માટે મેસનું ટપકું કરવું, તિલક કરવું ઇત્યાદિ; અને મ`ગલ એટલે, દહી” અક્ષત વગેરે માંગલિક વસ્તુઓનું દર્શન કરવું ઇત્યાદિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org