________________
४२
પાપ, પુણ્ય અને સચમ
હતા. તે નગરમાં ષષ્ણુિક નામના ભરવાડ રહેતા હતા. તે બહુ પૈસાદાર હતા. તેના વાડામાં સંખ્યાબંધ અકરાં, ઘેટાં, રીઝ, આખલા, સસલાં, મૃગલાં, સિંહ, હરણાં, મેાર, પાડા વગેરે જાનવરનાં સેા-સેાનાં તેમજ હજાર-હારનાં એમ અનેક ટાળાં હતાં. તેના હજારા નોકર-ચાકરા તે બધાં પ્રાણીઓની રક્ષા કરતા હતા, તથા તેમને દાણા-પાણી કરતા હતા. બીજા કેટલાક નાકરા તે પ્રાણીઓને મારી-કાપી તેમનું માંસ તૈયાર કરતા હતા; અને બાકીના બીજા તેમને તવા-કઢાઈ-અંગારા વગેરે દ્વારા સેકતા-તળતા-કે ભૂજતા હતા. એ રીતે સિદ્ધ થયેલું માંસ પછીથી રાજમાર્ગે વેચવામાં આવતું હતું. પેલે ભરવાડ પણ તેમાંથી જોઈતું માંસ યથેજ ખાતેા હતે! તથા દારૂ પીને આનંદ કરતા હતા.
એ પ્રમાણે સાતસેા વર્ષનું લાંબું આયુષ્ય ભાગવી તથા ભારે પાપકર્મ આંધીતે ભરવાડ અંતે મરણ પામ્યા અને ચેાથી નરકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થયા. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય દશ સાગરાપમ વર્ષોંનું હાય છે.
હવે, પેલા સુભદ્ર સંધવીની ભદ્રા શેઠાણીને મરેલાં છેોકરાં જ જન્મતાં હતાં. ચેાગ્યકાળે પેલા ચ્છુિક ભરવાડના જીવ ચેાથા નરકમાંથી ચ્યવીને સુભદ્રા શેઠાણીના ગર્ભમાં આવ્યું. નવ માસ પૂરા થયા બાદ શેઠાણીએ એક પુત્રને જન્મ આપ્યા. તે પુત્રને જન્મતાંવેંત તેનાં માપિતાએ એક ગાડા નીચે છૂટા મૂકી દીધેા; અને ત્યારઆદ ત્યાંથી ઉપાડી આણ્યે. પછી તેઓ તેને કાળથી ઉછેરવા લાગ્યાં. તેનું નામ પણ ગાડા ઉપરથી ‘શકટ' પાડવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org