________________
પા૫, પુણ્ય અને સંયમ આ પ્રમાણે મારી મારીને તથા રિબાવી-રિબાવીને મારી નાખવાનો તેણે હુકમ કર્યો છે.
આ સાંભળી ગૌતમે પૂછ્યું: “હે ભગવન ! આ અભગ્નસેન અહીંથી ભરીને કયાં જશે ?'
ભગવાન: હે ગૌતમ! એ અગ્નિસેન પિતાનું સાડત્રીસ વર્ષનું આયુષ્ય પૂરું કરી, આજે શુળી પર ચડી, દિવસ ત્રીજા ભાગને બાકી હશે ત્યારે મૃત્યુ પામશે, અને રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થશે. . . . [ ત્યાર બાદ બધું મૃગાપુત્રની કથામાં વર્ણવ્યા મુજબ ઉમેરી લેવું.] અંતે તે વારાણસી નગરીમાં ડુકકર તરીકે ઉત્પન્ન થશે. ત્યાં કસાઈઓને હાથે મરણ પામી તે તે જ નગરીમાં નગરશેઠને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થશે. તે જન્મમાં તે સાધુસંતો પાસેથી ઉપદેશ સાંભળી સાધુ થશે અને સાધુપણું બરાબર પાળી સૌધર્મકલ્પમાં દેવ થશે. ત્યાંથી એવી તે મહાવિદેહક્ષેત્રમાં ફરી સાધુ બની, અંતે સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે, તથા સર્વ દુઓને અંત લાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org