________________
અલગ્નસેનની કથા સામગ્રી તેમ જ ખાનપાન અમે અહીં પહોંચતું કરીએ કે, તમે પોતે જ નગરમાં પધારશે?”
પેલા કૌટુંબિક પુરુષે રાજાને સંદેશો લઈને લાંબી લાંબી મજો કર્યા વિના સુખેથી પડાવ નાખતા તથા ભાથું ખાતા શાલાટવીમાં આવી પહોંચ્યા. ત્યાં જઈ તેમણે અભગ્નસેનને રાજાનો સંદેશે કહી સંભળાવ્યું. તે સાંભળી અભગ્નસેને જવાબમાં કહ્યું કે, “હે દેવાનુપ્રિયે ! હું જાતે જ નગરમાં ખુશીથી આવીશ.' ત્યાર બાદ તેણે પેલા કૌટુંબિક પુરુષોને સત્કારપૂર્વક વિદાય કર્યા.
પછી અગ્નિસેન સ્નાનાદિ પરવારી, યોગ્ય વસ્ત્રાલ કારાથી વિભૂષિત થઈ, રાજાના નગરમાં આવ્યું. રાજા પાસે જઈ, તેણે “તમારો જય થાઓ!” “તમારે જય થાઓ!' એમ કહી તેનું અભિનંદન કર્યું, તથા ભારે કીમતી નજરાણું ભેટ કર્યું. રાજાએ પણ હર્ષપૂર્વક તે નજરાણુને સ્વીકાર કર્યો; તથા અગ્નિસેનનો સત્કાર કરી, તેને પેલા નવા બંધાવેલા મહેલમાં ઉતારે આપે.
ત્યાર બાદ રાજાએ પોતાના કૌટુંબિક પુરુષને કહ્યું કે, હે દેવાનુપ્રિયે! તમે તે મહેલમાં ખૂબ ખાન-પાન, દારૂ મદિરા, તથા પુષ્પ–વસ્ત્ર-ગંધર્માલ્ય–અલંકાર વગેરે સામગ્રી લઈ જાઓ, અને અભગ્નસેનને આપો. અગ્નિસેન પણ પિતાના મિત્ર–નાતીલા–સગાંસંબંધી વગેરે સાથે એ બધું ખાનપાન ભગવતે આનંદ કરવા લાગ્યા.
પછી લાગ જોઇ, મહાબલ રાજાએ પુરિમતાલ નગરના દરવાજા એકદમ બંધ કરાવી દીધા તથા અચાનક છાપો ભરાવી અભગ્નસેનને જીવતો કેદ પકડી લીધું. ત્યાર બાદ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org