________________
પાપ, પુણ્ય અને સમ
ત્યારે ભગવાને કહ્યું ; હૈ ગૌતમ! પહેલાં આ પુરિમતાલ નગરમાં ઉદિત નામે રાજા રાજ્ય કરતા હતા. તે વખતે તે નગરમાં નિણૅય નામે ઈંડાંના વેપારી વસતા હતા. તે મહા અધર્મી તથા ક્રૂર હતા. તેના કેટલાય નેકરચાકરે! રાજ વાંસી, કાદાળા, કરડિયા વગેરે સાધના લઈ ને ગામ બહાર જતા, અને કાગડી, ઘૂવડી, કબૂતરી, ટિટાડી, બગલી, ઢેલ, કૂકડી વગેરેનાં તેમજ બીજા પણ અનેક જલચર, સ્થલચર, ખેચર વગેરે પ્રાણીઓનાં ઈંડાં ભેગાં કરી લાવતા. પછી પેલા નિર્ણાયના રસાયા તે ઈંડાંને તવાઓ, કઢાઈ આ, તાવડા, કલાડાં, અને અંગારા ઉપર તળતા, ભૂંજતા કે સેકતા; અને પછી તેમને રાજમા ઉપર આવેલા બજારમાં વેચતા, અને કમાણી કર્તા. નિય પાતે પશુ તે બધાં તળેલાં સેકેલાં બાફેલાં ઈંડાં ખૂબ ખાતા, અને દારૂ પી મજા કરતા. એ પ્રમાણે તે નિય હજાર વર્ષોંનું પેાતાનું આયુષ પૂરું કરી, બહુ જ પાપકમ બાંધીને મરણ પામ્યા, અને ત્રીજી નરકભૂમિમાં નારકી જીવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય સાત સાગરાપમ વર્ષનું હેાય છે.
સ
ત્યાંથી ચ્યવી, તે શાલાટવીમાં વિજય નામના:ચારાના સેનાપતિને ત્યાં, તેની સ્ક ંદશ્રી પત્નીના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયેા. ત્રણ માસ પૂરા થતાં તે કદશ્રીને એવા દેહ્રદ ઉત્પન્ન થયે। કે, ‘તે માતાઓને ધન્ય છે, જે પેાતાના મિત્ર-નાતીલા-સ્વજન-સંબધી—પરિજન વગેરેતી સ્ત્રીએ તેમ જ ખીજી પણ સ્ત્રીઓથી વીંટળાઈ ને, નાહી-ધાઈ, વસ્ત્રાલ કારથી વિભૂષિત થઈ, ખૂબ ખાન-પાનથી ઉજાણી કરે છે; અને ત્યારબાદ મુખવાસાદિ પરવારી, પુરુષનાં વસ્ત્રો પહેરી,
કચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org