________________
હાજઝાકના કથા મહા – હે ગૌતમ! આજે જ પિતાનું ૨૫ વર્ષનું આયુષ્ય પૂરું કરી, દિવસને ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શળીએ ચડી, તે મરણ પામશે અને રત્નપ્રભા પૃથ્વીમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી એવી તે જંબુદ્વીપના ભારતવર્ષમાં આવેલા વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વાનર તરીકે ઉત્પન્ન થશે. જુવાનીમાં આવતાં તે પિતાના પશુગમાં અત્યંત આસક્ત ચશે, અને પિતાના ટોળામાં જેટલાં જેટલાં નર બચ્ચાં ઉત્પન્ન થશે તે બધાંને [ હરીફબુદ્ધિથી ] મારી નાખશે. એમ કરતાં કરતાં આયુષ્ય પૂરું થતાં તે જંબુદ્વીપના ભારતવર્ષમાં આવેલા ઇકપુર નગરની ગણિકાઓના કુળમાં પુત્ર તરીકે જન્મશે. તેનાં માતપિતા જન્મતાંવેંત તેની પુરુષઈકિય કાપી નાખશે, અને પછી તેને નપુંસક તરીકે ઉછેરશે. બારમે દિવસે તેનું નામ પ્રિયસેન નપુંસક' પાડવામાં આવશે. ઉમરે આવતાં તથા બધી નપુંસક-કળાઓ શીખી રહેતાં તે યુવાની અને રૂપની બાબતમાં ઉત્તમ બનશે. પછી તે પ્રિયસેન તે નગરના માંડલિકો, યુવરાજે, જાગીરદાર, કુટુંબીઓ, શેઠે, વેપારીઓ વગેરેને બહુ વિદ્યાઓના પ્રાગેથી, મંત્ર, ચૂર્ણોથી કે વશીકરણ પ્રયોગથી વશ કરીને ખૂબ પૈસા પડાવશે અને મેજ-શેખ કરશે. એ રીતે ઘણું પાપકર્મ બાંધીને ૨૧૦૦ વર્ષનું લાંબું આયુષ્ય પૂરું કરી, તે પ્રિયસેન રત્નપ્રભા પૃથ્વીમાં
૧. મૂળમાં વિગતે આ પ્રમાણે છે: હદયન એટલે કે હિપનેટિઝમ કરવું, નિદ્રવન એટલે કે ઠગાયા લૂંટાયા છતાં સામો માણસ વાત બહાર ન પાડી શકે તે તેને આંજી નાખ, પ્રસ્તાવ એટલે કે સામે માણસ પલળી જઈને વશ થાય તેવી વિદ્યા તથા તેવા બીજા પણ અભિગિક ઉપાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org