________________
૨૮
પા૫, પુણ્ય અને સ યમ તો તે ગણિકામાં જ મેહિત તથા આસક્ત થઈ ગયો હતો, તેથી તેને બીજે ક્યાંય સ્મૃતિ, રતિ, કે ધૃતિ પ્રાપ્ત થઈ શક્યાં નહિ. તેનું ચિત્ત, તેની વૃત્તિ, તેની પ્રવૃત્તિ, તેના પ્રયત્નો, તેની પ્રક્રિયે અને તેની ભાવના કામધ્વજામાં જ ગૂંથાઈ ગયેલાં હતાં. તેથી તે ચોરીછૂપીથી કામ વજાના ઘરમાં પેસવાની તક શોધતે વિચારવા લાગ્યો.
એક વખત તેવી તક મળતાં તે છાનામાનો કામધ્વજાના ઘરમાં પેસી ગયો અને તેની સાથે કામગ ભોગવવા લાગ્યો. એટલામાં મિત્રરાજા નાહી-ધોઈ, પરવારી, સર્વ અલંકારોથી વિભૂષિત થઈ, નોકર–ચાકરથી વીંટળાઈ, કામધ્વજાને ત્યાં આવી પહોંચ્યા. પરંતુ પેલા ઉજિઝતકને કામ ધ્વજા સાથે વિહાર કરતો જોઈ તે એકદમ ગુસ્સે થઈ ગયો, અને કપાળે ભવાં ચડાવી તેણે પોતાના નોકરને ઉજિઝતકને પકડવાને હુકમ આપ્યો. ત્યારબાદ ધપા, મુક્કા, તથા ઢીંચણ, કર્ણ વગેરેને માર મરાવી તેનાં હાડકાં-પાંસળાં તેણે ત્યાં ને ત્યાં ભગાવી નાખ્યાં. પછી તેને મુશ્કેટાટ બંધાવી, ગામમાં ફેરવી તેને વધ કરવાને તેણે હુકમ આપ્યો.
આ સાંભળી ગૌતમે પૂછયું : “હે ભગવન! આ ઉજિઝતક અહીંથી ભરીને ક્યાં જશે તથા ક્યાં ઉત્પન્ન થશે?
૧. “લેશ્યા”.
૨. “દેવતાઓને બલિ અપ, કૌતુક-મંગલ કરી, ખરાબ સ્વપ્ન વગેરેના દેષનિવારણ અર્થે પ્રાયશ્ચિત્તાદિ કરી,'- એટલી વિગતો સમજવી.
૩. મૂળમાં, “કપાળે ત્રણ કલાચળીઓ પાડી’ એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org