________________
૨૪
પાપ, પુણય અને સંયમ પરંતુ પિતાને દોહદ પૂરો ન થવાથી તે સુકાવા લાગી તથા ફીકી પડવા લાગી. તેનું મેં ઉદાસ–દીન બની ગયું, તેનું મુખકમળ નીચું નમી ગયું, તેણે પિતાને ઉચિત પુષ્પ વસ્ત્રગંધ-માલ્ય-અલંકાર તથા હાર વગેરેને ઉપયોગ કરવો છેડી દીધે, તેની કાંતિ હાથમાં મસળી નાખેલી કમળમાળાની જેમ ચીમળાઈ ગઈ, તેની સારાસાર બુદ્ધિ ચાલી ગઈ, તથા તે હાથ ઉપર માથું ટેકવી ચિંતાતુર બેસી રહેવા લાગી.
પેલા ભીમે પોતાની સ્ત્રીની આ દશા જોઈને તેને તેમ થવાનું કારણ પૂછયું. ત્યારે તેણે પિતાનો દેહદ તેને કહી સંભળાવ્યો.
તે સાંભળી ભીમે તેને કહ્યું, “હે દેવાનુપ્રિયે ! તું આટલા માટે ચિંતા શાને કરે છે? હું હમણાં જ તારે દેહદ પૂરે કરું છું. આ પ્રમાણે મનગમતાં વચનોથી ભીમે તેને આશ્વાસન આપ્યું.
ત્યારબાદ ભીમ મધરાતે ઊઠયો તથા બીજા કોઈને સાથે લીધા વિના, પોતાનાં આયુધાદિ સજી, ઘર બહાર નીકળ્યો, અને નગરની મધ્યમાં આવેલા પેલા ગોમંડપમાં જઈ, ત્યાં બેઠેલાં ગાય વગેરે પશુઓના સંખ્યાબંધ અવય કાપી લાવ્યો. પછી તેની સ્ત્રીએ તે અવયવ રાંધી–સેકીને, દારૂ, મધ વગેરે સાથે પોતાનો દેહદ પૂરો કર્યો. ત્યારબાદ તે પિતાને ગર્ભ સુખથી ધારણ કરવા લાગી.
નવ માસ પૂરા થતાં ઉત્પલાએ એક પુત્રને જન્મ આપ્યું. તેણે જન્મતાંવેંત એવી તો મેટી ભયંકર ચીસ પાડી, કે નગરમાં કેટલાંય ગાય-બળદ વગેરે જાનવર ત્રાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org