________________
પાપ, પુણ્ય અને સમ
નાખવામાં આવ્યાં હતાં; તેને શરીરે તેલ ચેપડવામાં આવ્યું હતું; વષ્ય માણસને પહેરાવવામાં આવતાં એ વસ્ત્ર તેને પહેરાવવામાં આવ્યાં હતાં; તેને ગળે કસૂત્ર જેવી લાલ (કરેણના) ફૂલની માળા હતી; તથા તેને શરીરે ગેરુને રંગ ખરડવામાં આવ્યા હતા. તે સારી પેઠે ગભરાઈ ગયા હતા, તથા પાસે આવેલા મૃત્યુથી બીતા હતા. તેના માંસના તલ તલ જેવા ટુકડા કરી, તેને પેાતાને ખવરાવવામાં આવતા હતા. તેને ચાબુકાના સે કડા પ્રહાર કરવામાં આવતા હતા. તેની આસપાસ હજારા સ્ત્રીપુરુષ ટાળે મળ્યાં હતાં, તથા દરેક ચકલામાં ફૂટેલું નગારું વગાડી તેને વિષે આ પ્રમાણે દ્વેષણા કરવામાં આવતી હતી : • હે દેવાનુપ્રિયે ! આ ઝિતકને કાઈ રાજા કે રાજપુત્ર મારતા નથી; પણ તેનાં પેાતાનાં પાપ તેને મારે છે !' તેને જોઈ, ભગવાન ગૌતમને વિચાર આવ્યા કે, જરૂર આ ટેકરા પેાતાનાં પૂર્વે કરેલાં જૂનાં કાઈ અતિશય પાપી તથા અશુભ ત્યાનું માઢુ ફળ ભાગવી રહ્યો છે. ત્યારબાદ વાણિજ્યગ્રામમાં ઊંચાં-નીચાં કુળામાં ફ્રી, પેાતાને જોઈતી ભિક્ષા એકઠી કરી, તે ભગવાન મહાવીર પાસે પાછા આવ્યા. ત્યાં આવ્યાબાદ, તેમણે જવાઆવવામાં થયેલા દેાષાનું તથા ભિક્ષા લેતાં લાગેલા દેાષાનું ચિંતન તથા કબૂલાત ભગવાન આગળ કરી લીધાં, અને લાવેલાં અન્નપાન ભગવાનને બતાવ્યાં. ત્યારબાદ તેમણે પેાતાને ઊભા થયેશે! પ્રશ્ન તેમને કહી બતાવ્યા : હે ભગવન્! એ જીવ પૂર્વજન્મમાં કાણુ હતા, તેનું નામ શું હતું, તેનું ગેાત્ર શું હતું, તથા તે જન્મમાં એવું તે તેણે શું આચયું હતું, કે જેને કારણે આ જન્મમાં તે સાક્ષાત્ નરકની જ વેદના ભાગવે છે?’
२२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org