SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગાપુત્રની કથા ત્યારબાદ તે સુપ્રતિષ નામના પુરમાં ફરી આખલો થશે. જુવાનીમાં આવતાં, એકવાર તે પ્રથમ વરસાદ વેળા મહાનદી ગંગાની ભેખડ ઉપર માટી ખણતાં ભેખડ સાથે તૂટી પડી દબાઈ મરશે, અને એ જ સુપ્રતિષ્ઠપુરમાં એક શેઠને ઘેર પુત્ર તરીકે જમશે. જુવાનીમાં આવ્યા બાદ કોઈ લાયક સ્થવિરો પાસેથી ધર્મોપદેશ સાંભળી, તે ઘરબાર છોડી સાધુ થશે. સાધુ અવસ્થામાં તે કાળજીપૂર્વક વર્તનારો, મન–વાણી -કાયાને સંયમ કરનારો. તથા ઇન્દ્રિયનિગ્રહી બ્રહ્મચારી થશે. બહુ વર્ષો સુધી એ પ્રમાણે સાધુપણું પાળીને તથા પોતાનાં સર્વ કર્મોનું આલેચન તથા પ્રાયશ્ચિત્ત કરીને, અંતે સમાધિ અવસ્થામાં મરણ પામી, તે સૌધર્મ કલ્પમાં દેવ તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જે કંઈ કુળ ધનાદિથી પૂર્ણ, પ્રતાપયુક્ત, વિખ્યાત, ઘર-પલંગઆસન–વાહન વગેરે સામગ્રીથી ભરપુર, સેનું–રૂપું–લેણદેણુજમણવાર-દાસી–દાસ–ગાય-ભેંસ વગેરે સાધનોથી યુક્ત તથા કોઈનાથી ગાંજ્યાં ન જાય તેવાં હશે, ત્યાં પુત્ર તરીકે જન્મશે. જન્મતાંવેંત તેને સર્વ સંસ્કારો ઠાઠમાઠથી કરવામાં આવશે, તથા પછી પણ તે અનેક આયાઓ, ધા વગેરે દ્વારા ઉછેરાશે. ૧. “ફરી” એટલા માટે કે પહેલાં પણ તે ઘણીવાર થઈ ચૂક્યો હશે. ૨. વૃદ્ધ સાધુઓ, ૩. ગુરુ આગળ દેની કબૂલાત કરી જવી તે. ૪ સૌધર્મ વગેરે કલ્પ એટલે કે સ્વર્ગોની માહિતી માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy