________________
પા૫, પુણ્ય અને સંયમ મહાવીર પધાર્યાની વાત ચાલવા લાગી, અને સર્વત્ર લોકોની મેદની જામી ગઈ
આ બધી ધમાલનો અવાજ સાંભળી, પેલા આંધળાએ પિતાને દોરનારને પૂછયું : “ભાઈ! આજે મૃગાગ્રામમાં એવું તે શું થયું છે, જેથી લોકોના ટોળેટોળાં આમ દોડાદોડી કરી રહ્યાં છે ? આજે નગરમાં ઈદન, કંદન, રુદ્રનો, શિવનો, કુબેરનો, નાગને, યક્ષની, ભૂતને, નદી, તળાવો, વૃક્ષને, ચૈત્યને કે, પર્વતનો કોઈ ઉત્સવ છે, કે કોઈ ઉદ્યાનયાત્રા છે, અથવા ગિરિયાત્રા છે?’
ત્યારે પેલાએ તે આંધળાને કહ્યું : “ આજે એવો કોઈ ઉત્સવ કે ઉજાણી તો નથી; પરંતુ ભગવાન મહાવીર આજે આ તરફ પધાર્યા છે, એને ગામબહાર ઈશાન ખૂણામાં આવેલા ચંદનપાદપ' ઉદ્યાનમાં ઊતર્યાં છે, તેથી એમનાં દર્શન કરવા ઉત્સુક થયેલા લોકોની આમ મેદની જામી છે.”
આ સાંભળી આંધળાએ કહ્યું, “હે ભાઈ! આપણે પણ ચાલ ત્યાં જઈએ અને ભગવાનનાં દર્શન કરીએ. એવા સંતસાધુઓનું નામ કે ગોત્ર પણ આપણે કાને પડી જાય, તે પણ મોટું ફળ મળે છે, તો તેમની પાસે જઈ, તેમને નમસ્કારાદિ કરી, તેમને સદુપદેશ સાંભળવાથી તો કેટલે બધે લાભ થાયમાટે ચાલ, આપણે ત્યાં જઈએ અને બીજા જન્મનું કાંઈક ભાથું બાંધીએ!” * પછી તે આંધળે પેલા માણસે પકડેલી લાકડીને આધારે જ્યાં મહાવીર ભગવાન હતા ત્યાં આવ્યો, અને તેમને વંદન૧. ત્યાં સુધમે યક્ષનું મંદિર હતું, એવું મૂળમાં વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org