________________
મૃગાપુત્રની કથા જૂના સમયમાં મૃગાગ્રામ નામે નગર હતું. તેમાં વિજય નામે ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ મૃગાદેવી હતું. તે બંનેને મૃગાપુત્ર નામે પુત્ર હતો. તે જન્મથી જ આંધળ-મૂગો–બહેરે-કૂબડે તથા પક્ષાઘાતી હતો. તેને હાથ-પગ-કાન-આંખ-નાક વગેરે ઇકિય ન હતી; પરંતુ તેમને આકાર માત્ર હતો. મૃગાદેવી તે બાળકને એક ગુપ્ત ભોંયરામાં કોઈ જાણે નહિ તે રીતે કાળજીપૂર્વક ઉછેરતી હતી.
તે જ નગરમાં બીજો પણ એક જન્માંધ મનુષ્ય રહેતો હતો. તે કોઈ દેખતા માણસની સાથે, તેણે પકડેલી લાકડીને આધારે ઘેર ઘેર ભીખ માગતો હતો અને લોકોના દિલમાં દયા ઊપજાવી, જેમ તેમ પેટ ભરતો હતો. તેનું માથું જથરથર રહેતું, અને તેની પાછળ લાખોનાં ટોળાં બણબણ્યા કરતાં.
એક વખત ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને આવ્યા જાણું લેકેનાં ટોળેટોળાં તેમનાં દર્શને જવા માટે ઊલટચાં. નગરના રાજમાર્ગોમાં, તેમ જ શેરીએ શેરીએ જ્યાં જુઓ ત્યાં શ્રમણ ભગવાન
૧. મૂળમાં “વાયવ(-વાતરેગી) શબ્દ છે. અર્થાત્ લકવાવાળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org