________________
१९
જ્યાં પ્રાણાયામ જેવી વસ્તુ પણ ચિત્તસ્વાસ્થ્યને વિદ્યકારક મનાઈ છે, ત્યાં આવા લાંબા લાંબા તીવ્ર ઉપવાસેા તા ચિત્તસ્વાસ્થ્યને છેક જ બગાડી મૂકનારા ગણીએ, તે તેમાં કશું ખેાટું નથી. બહુ તા, ચિત્ત ઉપર કામું રાખી, મરણની આકાંક્ષા કર્યાં કરવાનું રાકવામાં આવે; પરંતુ સઘળા સમય દરમ્યાન ચિત્તને એકધારું ધ્યાનસ્થ રાખવામાં આવે એમ બનવું અશક્ય છે.
બીજી એક નવાઈની વાત તેા એ છે , નાના-મેટા સૌ મરતી વખતે મારાંતિક સલેખનાવ્રતને જ સ્વીકારે છે; અને જેએ મુક્ત થાય છે, તેઓ પણ તે વ્રતને અંતે છેલ્લે શ્વાસે જ મુક્ત થાય છે. અર્થાત્ ન ખાવું, અને હમેશને માટે ન ખાવું — એ વસ્તુને એક સ્વતંત્ર સાધન તરીકે જ જાણે સ્વીકારવામાં આવી છે. તે દરમ્યાન ધ્યાન કર્યાં કરવું, કે ધ્યાન સતત કરી શકાય માટે જ ઉપવાસ એવા જરા સરખા ઉલ્લેખ કથાકારે કર્યાં નથી. સઘળેા ભાર જાણે ઉપવાસ ઉપર જ છે. જે ધ્યાન ઉપર જ ભાર હોત, તા તા અંતે ચિત્તવૃત્તિ સદંતર લીન થવાને કે એવા કાંઈક ઉલ્લેખ જરૂર સાથે કરાયા જ હોત. અહીં તે। બધા સાધકા જે દિવસે દીક્ષા લે છે, તે જ દિવસથી ચાર ટંકના, છ ટંકના, આ ટંકના, એમ પખવાડિયાના, અને મહિનાના ઉપવાસે કરવાનું જ શરૂ કરે છે. જાણે એ જ એમનું ધમા માં પ્રયાણુ ન હોય! જે કોઈ મુખ્ય મુખ્ય તપે। તે બધા સ્વીકારે છે, જેવાં કે ગુણરત્ન, ભિક્ષુપ્રતિમા, રત્નાવલી, કનકાવલી, વગેરે, એ બધાં પણ માત્ર ઉપવાસનાં જ તપેા છે. એવાં મેટાં તપ ન પણ સ્વીકારે, પણ દીક્ષાના દિવસથી નિરંતર ચાર
Jain Education International
―――
For Private & Personal Use Only
-
www.jainelibrary.org