________________
પાપ. પુણ્ય અને સંયમ તેમને વંદન-પ્રદક્ષિણાદિ કરી, પુષ્કળ ભિક્ષા આપી. ગૌતમ ત્યાંથી જવા લાગ્યા ત્યારે કુમાર તેમને પૂછવા લાગ્યોઃ “તમે કક્યાં રહો છો?' ગૌતમે જવાબ આપ્યો, “હે દેવાનુપ્રિય! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મહાવીર ભગવાન આ નગરની બહાર, શ્રીવણ ઉદ્યાનમાં ઉતર્યા છે; ત્યાં હું રહું છું.'
તે સાંભળી કુમારે કહ્યું: “ચાલો હું તેમને વંદન કરવા તમારી સાથે સાથે આવું.'
પછી અતિમુક્તકકુમાર ગૌતમ સાથે ભગવાન મહાવીર પાસે ગયા. ત્યાં જઈ તેણે તેમને પ્રદક્ષિણદિ કરી નમસ્કાર કર્યા. ભગવાને તેને ધર્મોપદેશ આપે. તે સાંભળી તે ઘણે રાજી થયો. તે બોલ્યો: “હે દેવાનુપ્રિય ! હું મારાં માતપિતાની રજા લઈ આવું. મારે આપની પાસે દીક્ષા લઈ સાધુ થવું છે.'
- પછી અતિમુક્તકકુમાર પિતાનાં માતપિતા પાસે રજા લેવા આવ્યો. ત્યારે તેનાં માતપિતાએ તેને કહ્યું: “ભાઈ! તું હજુ નાનો છે, તથા અણુસમજુ છે. ધર્મ વિષે તું શું જાણે?”
ત્યારે તેણે કહ્યું: “હે માતપિતા ! હું જે જાણું છું, તે નથી જાણતો, અને જે નથી જાણતો તે જાણું છું!'
તેનાં માતાપિતાએ તેને પૂછ્યું: “એ કેવી રીતે ?”
ત્યારે કુમારે જવાબ આપ્યોઃ “હે માતપિતા! હું એટલું જાણું છું કે, જન્મેલાને અવશ્ય કરવાનું છે, પરંતુ કઈવેળાએ,
ક્યાં, કેવી રીતે, અને કેટલું બેડું ભરવાનું છે, તે હું નથી જાણત. છ કયાં કર્મો વડે નારક-પશુ-પંખી-દેવ-મનુષ્ય આદિ નિમાં ઉત્પન્ન થાય છે, તે હું નથી જાણતો; પરંતુ પોતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org