________________
અતિમુક્તકની કથા પિલાસપુર નગરમાં વિજય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીદેવી નામની રાણી હતી, અને અતિમુક્તક નામને કુમાર હતો. તે બહુ સુકુમાર તથા સ્વરૂપવાન હતો.
એક વખત મહાવીર ભગવાન ફરતા ફરતા પલાસપુર આવી પહોંચ્યા અને નગર બહારના શ્રીવણ નામના ઉદ્યાનમાં ઊતર્યા. તે વખતે તેમના પટ્ટશિષ્ય ઈદ્રભૂતિ ગૌતમ ભિક્ષાકાળે ભિક્ષા માગવા પિલાસપુરમાં ગયા. અતિમુક્તકકુમાર નાહીધોઈ વસ્ત્રાલંકાર પહેરી ઘણું નાનાંમોટાં બાળકો-છોકરાં સાથે ઈદ્રના મંદિરમાં રમતો હતો. ગૌતમને ત્યાં થઈને જતા જોઈ, અતિમુક્તકકુમાર તેમની પાસે દોડી ગયો અને તેમને પૂછવા લાગ્યો :
તમે કોણ છો? અને કેમ ફરે છે?”
ત્યારે ભગવાન ગૌતમે તેને કહ્યું: “અમે શ્રમણનિગ્રંથ બ્રહ્મચારી, તપસ્વી, સાધુ છીએ, અને ભિક્ષા માટે અહીં નાનાંમેટાં કુળમાં ફરીએ છીએ.'
એ સાંભળી કુમારે કહ્યું, “ચાલો, હું તમને ભિક્ષા અપાવું !” એમ કહી, ગૌતમની આંગળી પકડી, તે તેમને પિોતાની માતા શ્રીદેવી પાસે લઈ ગયા. શ્રીદેવી ગૌતમને આવતા દેખી હર્ષિત થઈને આસન ઉપરથી ઊભી થઈ. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org