________________
ગરપાણિની કથા મારી નાખી છે !' “આણે ભારે ભાઈ-પત્ની-બહેન-પુત્ર-પુત્રી-વહુ કે બીજા સગાંસંબંધી મારી નાખ્યાં છે એમ કહી કહીને તેનો તિરસ્કાર કરવા લાગ્યાં, તથા માર–પીટ કરવા લાગ્યાં. પરંતુ તે અર્જુનક સાધુ તો મનથી પણ તે બધાં ઉપર જરા પણ દ્વેષ કર્યા વિના તે બધું યથાગ્ય રીતે સહન કરવા લાગ્યા. ત્યાર બાદ નાનાં-મોટાં સૌ કુળમાં તે ભિક્ષા માટે રખડ્યા પણ તેમને અન્ન મળ્યું, તો પાણું ન મળ્યું, અને પાણી મળ્યું તે અન્ન ન મળ્યું. પરંતુ અજુનક મુનિ તો દીન-વિમનસ્ક-કલુષિત-આકુલકે વિષાદયુક્ત બન્યા વિના પિતાના મનની શાંતિ કાયમ રાખી, જે મળ્યું તે લઈને પાછા આવ્યા, અને ભગવાનને તે બધું બતાવ્યા બાદ તેમની રજાથી, તેમણે તે ભજનનો “સાપ દરમાં પેસે તે પ્રમાણે” (મમાં સ્વાદ માટે મમળાવ્યા વિના) આહાર કરી લીધો.
ત્યાર બાદ મહાવીર ભગવાન રાજગૃહમાંથી ચાલ્યા ગયા. અજુનક સાધુ તે પોતે લીધેલા તે આકરા તપને છ મહિના સુધી પાળી, અંતે સંલેખને વ્રત સ્વીકારી; પંદર દિવસ ખાનપાનનો ત્યાગ કરીને મરણ પામ્યા, અને જે વસ્તુ માટે તેમણે સાધુ થઈને આ બધાં આકરાં દુઃખો સહન કર્યા હતાં, તે વસ્તુ પ્રાપ્ત કરીને સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org