________________
પાપ, પુણ્ય અને સંયમ ફૂલો ચૂંટતો. તેમાંથી જે સારાં સારાં હોય તે બધાં લઈ તે ચક્ષની પૂજા કરતો, અને પછી તેમને પ્રણામ કરી, બાકીનાં ફૂલ લઈ, રાજમાર્ગ ઉપર આવી વેચત અને ગુજારો કરતો.
તે નગરમાં લલિતા નામની એક સોનેરી ટાળી રહેતી હતી. તે ટોળી ભારે પૈસાદાર હતી, તથા કેઈથી ગાંજી જાય તેવી ન હતી. તે ટોળીને માટે કઈ પણ કર્મ દુષ્કર્મ નહોતું.
એક વખત રાજગૃહ નગરમાં ઉજાણુની દાંડી પિટાઈ. તે સાંભળી અનકને વિચાર આવ્યું કે, કાલે બહુ ફૂલોનું કામ પડશે. તેથી પિતાની સ્ત્રી બંધુમતી સાથે સવારમાં જ વહેલો ઊઠી તે વાડીમાં ગયે, અને ફૂલ વીણવા લાગે. પેલી સોનેરી ટાળીને છ માણસો મુદ્દગરપાણિના મંદિરમાં રમતા બેઠા હતા. અર્જુનક ફલ ચૂંટયા બાદ થોડાં સારાં સારાં ફૂલ લઈ પોતાની સ્ત્રી સાથે યક્ષને ચડાવવા માટે આવ્યા. તેને તેની સ્ત્રી સાથે આવતો જોઈ, પેલાઓએ વિચાર્યું કે, અર્જુનક આવે કે તરત તેને મુશ્કેટોટ બાંધી, તેની રૂપાળી સ્ત્રી સાથે આજે યથેષ્ટ મોજ ઉડાવવી. આમ વિચારી તેઓ બાલ્યા–ચાલ્યા વિના કમાડ પાછળ સંતાઈને ઊભા રહ્યા.
અર્જુનકે મંદિરમાં આવી યક્ષને પ્રણામ કર્યા. તેની સાથે જ પેલા છ જણ કમાડ પાછળથી નીકળી આવ્યા અને તેને પકડીને મુશ્કેટોટ બાંધી દીધો. ત્યાર બાદ તેની સ્ત્રીને પકડી તેઓ તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. . એ વખતે અર્જુનકને વિચાર આવ્યો કે, “હું નાનપણથી જ આ મુગરપાણિ યક્ષની રોજ સવારમાં પૂજા-અર્ચના કરું છું. જે એ યક્ષ સાચા હોત, તો મારી આ વલે થતી તે જોઈ રહ્યા હોત ? માટે આ યક્ષ સાચા નથી, માત્ર લાકડું છે !”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org