________________
હાથે પાંચ અને તેણે તેમને ૧
રૂહો છે, ભડક
૧૨
પાપ, પુણ્ય અને સંયમ રૈવતક પર્વત ઉપરના સહસ્ત્રાબ્રવણમાં લઈ જવામાં આવી. ત્યાં અરિષ્ટનેમિ પાસે જઈ, તેમને વંદનાદિ કરી કૃષ્ણ કહ્યું : હે ભગવન્! આ મારી પટરાણે પદ્માવતી મને અતિશય ઈષ્ટ, કાંત, પ્રિય, માનીતી, તથા મનગમતી છે. તે સંસારભયથી ઉદ્વિગ્ન થઈ આપની પાસે દીક્ષા લેવા માગે છે. તે આપ તેને શિષ્યા તરીકે સ્વીકાર કરો.”
ત્યાર બાદ પદ્માવતીએ ઈશાનખૂણા તરફ જઈ પિતાના બધા અલંકારે ઉતારી નાખ્યા, તથા પિતાના વાળને પિતાને હાથે પાંચ મૂઠીઓ ભરીને ઉપાડી કાઢયા. ત્યાર બાદ ભગવાન પાસે જઈને તેણે તેમને વંદનાદિ કરી કહ્યું : "
હે ભગવન્! આ સંસાર સળગી રહ્યો છે, ભભડ બળી રહ્યો છે, તથા જરા અને મરણથી ત્રાસી રહ્યો છે. જેમ કોઈ ગૃહપતિ પોતાની એકની એક અમૂલ્ય ચીજને બળતા ઘરમાંથી બહાર કાઢી લે છે, તેમ હે ભગવન્ ! આ બળતા સંસારમાંથી મારા પ્રિય અને ઈષ્ટ આત્માને ઉગારવા હું આપની પાસે પ્રવજ્યા લઈ, શિષ્યા તરીકે રહીશ, અને આચારાદિ શીખીશ.'
ભગવાને પદ્માવતીનું કહ્યું સાંભળીને તેને જાતે જ પ્રવજ્યા આપી, તથા પછી યક્ષિણ નામની આર્યોને શિષ્યા તરીકે સેંપી. પદ્માવતી તેમની પાસે રહી સામાયિક વગેરે ક્રિયાઓ તથા અગિયાર અંગગ્રંથો શીખી. તથા ચાર ટંક, છ ટંક, આઠ ટંક, દશ ટંક, બાર રંક, પંદર ટક, મહિને વગેરેના ઉપવાસ કરતી વિવિધ તપકર્મો વડે પિતાના આત્માને ભાવિત કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org