________________
પાવતીની કથા
૧૫૧ ઘેર જઈ સિંહાસન ઉપર પૂર્વ તરફ મેં રાખીને બેઠા બાદ તેમણે પિતાના હજૂરિયાઓને બોલાવ્યા અને તેમને કહ્યું: “હે દેવાનુપ્રિયે ! તમે દ્વારકા નગરીમાં ચારે બાજુ ઢંઢેરો પીટે કે દ્વારકા નગરીને આગમાં વિનાશ થવાને - છે. માટે જે કોઈ પુરુષ કે સ્ત્રી, કુમાર કે કુમારી
અરિષ્ટનેમિ ભગવાન પાસે દીક્ષા લઈ સાધુ થવા ઇચ્છતું હશે, તે દરેકને કૃષ્ણ-વાસુદેવની રજા છે. અત્યારે દીક્ષા લીધા બાદ પસ્તાઈને કોઈ ફરી સંસારી થવા ઈચ્છશે, તે તેને પોતાને પહેલાંને બંધ કરવાની છૂટ રહેશે. સાધુ થવા ઈચ્છતા દરેકને ભારે ધામધૂમપૂર્વક નિષ્ઠમણુવિધિ કરવામાં આવશે.”
- એ ઢઢે સાંભળી પદ્માવતી રાણું અત્યંત હર્ષિત થઈ અરિષ્ટનેમિ પાસે ગઈ, અને દીક્ષા લેવાને પોતે કરેલો નિરધાર સંભળાવી આવી. ત્યારબદ પાછી આવી, જ્યાં કૃષ્ણ હતા ત્યાં ગઈ અને તેમની પાસે દીક્ષા લેવાની પરવાનગી ભાગવા લાગી.
કૃષ્ણ તેને પરવાનગી આપી તથા પોતાના હજૂરિયાઓને બોલાવી પદ્માવતી રાણીને ભારે ધામધૂમથી નિષ્કમણુભિષેક કરવા માટે પૂરતી તૈયારીઓ કરવાની આજ્ઞા આપી.
ત્યારબાદ પદ્માવતી રાણુને પાટ ઉપર બેસાડી, તેનો એકસેઆઠ સેના-રૂપા વગેરેના કલશો ભરીને સર્વ પ્રકારનાં જળ-માટી-પુષ્પ-ગંધ-માલ્ય-ઔષધિ-સરસવ વગેરે વડે ભારે ધામધૂમથી અભિષેક કરવામાં આવ્યો. પછી તેને સર્વ અલંકારોથી વિભૂષિત કરવામાં આવી. ત્યાર બાદ હજાર પુરુષ વડે ઊંચકાતી પાલખીમાં બેસાડી, નગરમાં થઈ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org