________________
૧૪૮
પા૫, પુણ્ય અને સંયમ આ સાંભળી, કૃષ્ણને બહુ ઓછું આવ્યું. તેમને વિચાર આવ્યું કે જાલિ, ભયાલિ, પુરુષસેન, વારિણ, પ્રદ્યુમ્ન વગેરે કુમારોને ધન્ય છે કે, તેઓએ ધન-સંપત્તિ, અંતાપુર વગેરે સર્વસ્વ તજીને અરિષ્ટનેમિ પાસે સાધુપણાની દીક્ષા લઈ લીધી. હું જ એ અભાગી–પાપી છું કે, રાજ્ય, અંતઃપુર વગેરે માનુષી કામગમાં આસક્ત રહીને ભગવાન અરિષ્ટનેમિ પાસે પ્રવજ્યા લેતો નથી.
પછી ભગવાને કૃષ્ણના મનમાં ચાલતો વિચાર જાણું લઈ, કૃષ્ણને કહ્યું: “એવું કદી બન્યું નથી તથા એવું કદી બનવાનું નથી કે વાસુદે ધનસંપત્તિને ત્યાગ કરીને સાધુપણની દીક્ષા લે.”
કૃષ્ણ ભગવાનને પૂછયું : “એમ કેમ?”
ભગવાને કહ્યું: “હે કૃષ્ણ! સર્વે વાસુદેવાએ પૂર્વજન્મમાં ભરતી વેળા પિતાના સઘળા સામર્થ્યથી અમુક પ્રકારનો સંકલ્પ કરી દીધો હોય છે. તેથી તેઓ આ જન્મમાં બીજું કંઈ કરી શકતા નથી.”
૧. ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદે, ૯ પ્રતિવાસુદે, તથા ૯ બળદેવો મળી કુલ ૧૩ શલાકા પુરુષ અર્થાત્ મહાપુરુષે કાળચક્રના દરેક ફેરા દરમ્યાન જન્મે છે.
- ૨. ગંગદત્ત તરીકેના પૂર્વ જન્મમાં કૃષ્ણ પિોતાની માતાને ઘણું અળખામણુ હતા. તેમની માતાએ તેમને જમતાંવેંત દાસી પાસે નંખાવી દીધા હતા. પણ દાસી પાસેથી તેમના પિતા તથા ભાઈએ તેમને ગુપ્ત રીતે સાચવી ઉછેર્યા હતા. એક વખત ગંગદત્ત માતાના જોવામાં આવતાં તેણે તેમને મારી-ફૂટી ઘરની ખાળમાં નાખી દીધા. તેમની માતાને તેમના પ્રત્યે આ જન્મમાં આવું વેર થવાનું કારણ એ હતું કે, પૂર્વ જન્મમાં તે સાપણ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org