________________
પદ્માવતીની કથા દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા તે વખતની વાત છે. તેમને પદ્માવતી નામે રાણી હતી.
એક વખત અરિષ્ટનેમિ ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા. તેમને આવ્યા જાણું કૃષ્ણાસુદેવ તેમને દર્શને ગયા. પદ્માવતી રાણું પણ તેમને આવ્યા જાણ ખૂબ હર્ષિત થઈ તેમને દર્શને ગઈ. ત્યાર બાદ અરિષ્ટનેમિએ કૃષ્ણને તેમજ પદ્માવતી વગેરેને ધર્મોપદેશ આપે.
બધા વીખરાઈ ગયા બાદ, કૃષ્ણ અરિષ્ટનેમિને વંદનાદિ કરી પૂછયું: “હે ભગવન ! આ દેવપુરી જેવી દ્વારકા નગરીને નાશ શાનાથી થશે ?'
ભગવાને જવાબ આપ્યોઃ “હે કૃષ્ણ! આ દેવપુરી જેવી નગરીને નાશ સુરા-અગ્નિ-અને પાયન વડે થશે.”
૧. પરાશર મુનિને યમુનાના દ્વીપમાં કેઈ નીચ કુળની કન્યાના સેવનથી થયેલો પુત્ર. સાંબ વગેરે ચાદવકુમારોએ દારૂથી મત્ત થઈ, એ વૈપાયન મુનિને મરણતોલ માર માર્યો; તેથી મરતી વેળા દ્વારકાના યાદોને બાળી નાખનાર તરીકે જન્મવાનો તેણે સંકલ્પ કર્યો. પછી તે અગ્નિકુમાર દેવામાં દેવ તરીકે ઉત્પન્ન થયો; તે દેવે પછી દ્વારકાને યાદ સાથે બાળી નાખી. માત્ર કૃષ્ણ – બળરામ બે જ જીવતા નીકળી શકચા; એવી કથા છે. ત્રિષષ્ટિ શલાકા પર્વ ૮, સર્ગ ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org