SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. પાપ, પુણ્ય અને સંયમ ગજસુકુમારને આગળ કરી, તેમનાં માતાપિતા ભગવાન પાસે આવ્યાં અને તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન અને નમસ્કારપૂર્વક બેલ્યાં: “હે દેવાનુપ્રિય ! આ ગજસુકુમાર અમારો પ્રાણસમો પ્રિય પુત્ર છે, તથા અમારે માટે ઉંબરાના પુષ્પસમો દુર્લભ છે. હે દેવાનુપ્રિય ! જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, અને પાણીમાં વધે છે, પણ કાદવની રજથી કે પાણીના બિંદુથી લેપાતું નથી, તેમ કામોમાં થયેલ અને ભાગમાં વધેલો આ ગજસુકુમાર આપને ઉપદેશ સાંબળી, હવે કામ અને ભેગરસથી ખરડાવા ઈચ્છતો નથી, સંસારના ભયથી તેને ઉદ્વેગ થયે છે; જન્મ–જરા–મૃત્યુના ત્રાસથી તે ભયભીત થયે છે, અને આપ દેવાનુપ્રિયની પાસે રહી, સાધુ થઈ, પ્રવજ્યા લેવા ઈચ્છે છે. માટે હે દેવાનુપ્રિય ! અમે આપને તેની શિષ્યભિક્ષા આપીએ છીએ, તે આપ સ્વીકારો.” પછી ગજસુકુમારે ઉતારી નાખેલાં વસ્ત્રાભૂષણ ઝીલતી તેમની માતા ગળગળી થઈને બોલી : - “હે પુત્ર! તું યત્ન કરજે; પરાક્રમ કરજે, અને લેશ પણ પ્રમાદ ન કરીશ. અમને પણ તારે માર્ગ પ્રાપ્ત થાઓ.” પ્રવજ્યાવિધિ પૂરો થતાં બાકીનાં સૌ પોતપોતાને સ્થાને પાછાં ફર્યા. માત્ર ગજસુકુમાર વળતે પહેરે ભગવાન પાસે જઈ કહેવા લાગ્યા : “હે ભગવન! આપની અનુજ્ઞા હોય, તો મહાકાલ મશાનમાં જઈ ( ભિક્ષુઓની બાર પ્રતિમાઓમાંથી છેલ્લી, બારમી) મહાપ્રતિમાનું એક રાત્રી કરવાનું (દુષ્કર) તપ કરું.' ૧. જુઓ આગળ પા. ૧૨૭. સામાન્ય ક્રમમાં પ્રતિમાઓનું તપ ગમે તે સ્વીકારી શકતા નથી. તેનું શારીરિક બંધારણ વિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy