SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ, પુણ્ય અને સચમ જતાં જતાં કૃષ્ણની નજર પેલી સેમા ઉપર પડી. તેના રૂપ-લાવણ્યથી તે ચકિત થઈ ગયા. તેમણે તરત પોતાના હજૂરિયાઓને ખેલાવીને કહ્યું, તમે આ કન્યાના પિતા પાસેથી એ કન્યા માગી લઈ, તેને કન્યાઓના અંતઃપુરમાં લઈ જાએ, પછી તેને ગજસુકુમાર સાથે પરણાવીશું.’ પેલાએએ પણ તરત તે આનાના અમલ કરી દીધે।. પછી કૃષ્ણ વગેરે અરિષ્ટનેમિ પાસે જઇ પહોંચ્યા, અને તેમને વંદનાદિ કરી ધર્માંપદેશ સાંભળવા લાગ્યા. ત્યાર બાદ કૃષ્ણ તેા ઘેર પાછા ફર્યાં, પણ ગજસુકુમારે તે ભગવાનને નમસ્કાર કરી, તેમની પાસે સાધુ થવાને પાતે કરેલા નિશ્ચય નિવેદિત કર્યાં. ત ત્યાર બાદ ભગવાનની રજાથી તે પેાતાનાં માપિતા પાસે સાધુ થવાની રજા માગવા આવ્યા. તેમનાં માપિતાએ તેમને અનુકૂળ-પ્રતિકૂળ એવી ઘણી ઘણી દલીલેાથી સાધુ ન થવાને સમજાવ્યા. કૃષ્ણે પણ એ વાત જાણી ગજસુકુમાર પાસે આવી દ્વારિકાની રાજગાદીએ તેમને ૪ અભિષેક કરવાનું જણાવ્યું, પણ ગજસુકુમાર એકના બે ન થયા. ત્યારે છેવટે તેમનાં માતપિતાએ તેમને કહ્યું : હે પુત્ર! બીજું તે કાંઈ નહિ પણ અમે તારી એક દિવસની રાજ્યલક્ષ્મી નજરે જોઈ લેવા ઇચ્છીએ છીએ. ’ ગજસુકુમારે માતપિતાની તે આજ્ઞાને સ્વીકાર કર્યાં. પછી મેાટી ધામધૂમથી ગજસુકુમારને રાજ્યાભિષેક કરવામાં આધ્યેા. ત્યાર બાદ તેમનાં માતપિતાએ તેમને પૂછ્યું : ૧. એ બધી દલીલા માટે જીએ આ માળાનું ધડથાઓ ’ પુસ્તક, પા. ૨૦ થી ૨૩ Jain Education International For Private & Personal Use Only < www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy