________________
૧
)
ગજસુકુમારની કથા હરિગમેસિએ કહ્યું, “હે દેવાનુપ્રિય! દેવલોકમાંથી વીને એક જીવ તારા ભાઈ તરીકે ઉત્પન્ન થશે. યુવાવસ્થામાં આવતાં તે અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને સાધુ થશે.” આટલું કહી, તે પિતાને સ્થાને પાછો ચાલ્યો ગયો.
ત્યારબાદ એક વખત દેવકીએ સ્વપ્નમાં એક સિંહને પિતાને મુખમાં પેસતા જે. પછી નવ મહિને દેવકીએ હાથીના તાળવા જેવા લાલ રંગના સુકુમાર તથા બધાંની આંખે વળગે તેવા પુત્રને જન્મ આપ્યું. તેનો રંગ જપાના ફૂલ જેવો, લાલ બંધુજીવકનાં ફૂલ જેવ, અળતા જે, પારિજાતકના ફૂલ જે, તથા ઊગતા સૂર્ય જે લાલ હતો. તેનો વર્ણ હાથીના તાળવા સમાન હોવાથી તેનું નામ ગજસુકુમાર રાખવામાં આવ્યું.
ભારે ઠાઠ-માઠ તથા લાડપાડમાં ઊછરતો તે ગજસુકુમાર ધીમે ધીમે મેટ થવા લાગ્યો તથા વિદ્યા-કળા ભણું યુવાવસ્થામાં આવી પહોંચ્યો.
તે વખતે દ્વારકા નગરીમાં સોમિલ નામે બ્રાહ્મણ રહેતો હતા. તે વેદાદિ વિદ્યામાં પારંગત હતો. તેને સમશ્રી નામે ભાર્યા હતી, અને તેમાં નામની સુંદર, સુરૂપ, તથા લાવણ્યયુક્ત પુત્રી હતી.
એક વખત સોમા પોતાની દાસીઓ સાથે રાજમાર્ગ ઉપર, સેનાના દડા વડે રમતી હતી. તે જ વખતે અરિષ્ટનેમિ પધાર્યા હોવાથી કૃષ્ણ ગજસુકુમારને સાથે લઈ, હાથી ઉપર બેસી, અરિષ્ટનેમિનાં દર્શને જતા હતા. તેમની ઉપર કરંટ પુષ્પની માળાઓ યુક્ત છત્ર ધારણ કરયામાં આવ્યું હતું, તથા ઉત્તમ ત ચામરે તેમની આજુબાજુ ઢળવામાં આવતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org