________________
૧૭૪
પાપ, પુણ્ય અને સચમ
46
(
જ તેના મનની વાત જાણી લઈ, તેને જવાબ આપ્યું!, કે, • હૈ દેવાનુપ્રિયે ! વસ્તુસ્થિતિ તેમ જ છે. તે છ તારા જ પુત્રા છે; બીજી કાઈ ને તેવા પુત્ર નથી. પરંતુ વાત એમ બની છે કે, ભલપુર નગરમાં નાગ નામે ગૃહસ્થ રહેતા હતા. તેની સુલસા નામની ભાર્યાનું નાનપણમાં જ કાઈ નિમિત્તશાસ્ત્ર જાણનારા જોષીએ એવું ભવિષ્ય ભાખ્યું હતું કે, આ કરી મરેલાં બાળકાને જ જન્મ આપશે' એ જાણીને નાનપણથી જ સુલસાએ હરણેગમેસિ॰ દેવની ભક્તિ કરવા માંડી હતી. તેણે તે દેવની એક મૂત્તિ કરાવી હતી; તથા રેજ સવારમાં નાહી-પરવારી, ભીને કપડે જ મેાંધાં ફૂલે વડે તે તેનું પૂજન કરતી તથા ઢીંચણે વળી પગે લાગતી. ત્યાર બાદ તે આહારનીહાર પરવારતી કે કપડાંલત્તાં પહેરતી. સુલસાની આ પ્રકારની ભક્તિ-પૂજા-શુશ્રુષા વડે તે દેવ ઘણા પ્રસન્ન થયે।. તેથી તેણે તને ( દેવકીને ) તેમ જ સુલસાને એક સાથે ઋતુધર્માવાળી કરી, અને તમને અનેને એક સાથે જ ગર્ભ રહ્યો. સુલસાએ જે મરેલા પુત્રાને જન્મ આપ્યા તે લઈ ને હરણેગમેસિ દેવે તારી પાસે મૂકી દીધા, અને તે જે જીવતા પુત્રને જન્મ આપ્યા તે લઈ ને તેણે સુલસાની પાસે મૂકી એટલે એ ચે તારા પુત્રેા છે; સુલસાના નથી.”
દીધા.
આ સાંભળી હર્ષિત તથા સંતુષ્ટ થઈ, ભગવાનને નમસ્કાર કરી, દેવકી જ્યાં પેલા છ સાધુએ હતા, ત્યાં ગઈ, અને તેમને વંદન-નમસ્કાર કર્યાં.
૧. દેવેદ્ર શક્રની પાયદળ સેનાના અધિપતિ, મહાવીરને ગભ પણ તેણે જ બ્રાહ્મણીના પેટમાંથી ખસેડી ક્ષત્રિયાણીના પેટમાં મૂક્યો હતા. જુએ, આ માળાનું આચારધર્મ ’ પુસ્તક પા. ૧૬૮૮
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org