________________
ગૌતમકુમારની કથા બંને હાથ ભેગા કરી તથા માથા સાથે અડકાડી, આ પ્રમાણે છેલ્યા :
અરિહંત ભગવંતો, સિદ્ધો વગેરેને નમસ્કાર ! દૂર રહેલા ભગવાન અરિષ્ટનેમિને હું અહીં રહ્યો રહ્યો વંદન કરું છું; અને ત્યાં રહેલા ભગવાન અરિષ્ટનેમિ અહીં રહેલા મને જુઓ. મેં પહેલાં પણ ભગવાન પાસે અહિંસા વગેરેના નિયમે મરતા સુધી પાળવાનું કહીને સ્વીકાર્યા હતા; અત્યારે પણ તેમની પાસે તે બધા નિયમ લઉં છું, તથા સર્વ પ્રકારની ખાવાની વસ્તુને, સર્વ પ્રકારની પીવાની વસ્તુનો, સર્વ પ્રકારનાં મેવા-મીઠાઈને, અને સર્વ પ્રકારના મસાલા-મુખવાસને એમ ચારે જાતના આહારનો જીવું ત્યાં સુધી ત્યાગ કરું છું. વળી દુઃખ દેવાને અયોગ્ય, ઈષ્ટ, કાંત, અને પ્રિય એવું જે મારું શરીર છે, તેને પણ હું મારા છેલ્લા શ્વાસોચસે ત્યાગી દઈશ.'
આ પ્રમાણે ખાનપાનનો ત્યાગ કરી, ગૌતમ મુનિએ ઝાડની પેઠે સ્થિર થઈ, મૃત્યુની આકાંક્ષા વિના રહેવા માંડયું.
તે પ્રમાણે સાઠ ટંકે ખાધાપીધા વિનાની જતાં તે ગૌતમ મુનિ પ્રાણરહિત થયા, અને સર્વ કર્મોનો ક્ષય કરી, સિદ્ધ-બુદ્ધ-તથા મુક્ત થયા. તેમના સાધુપણાને કુલ કાળ બાર વર્ષનો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org