________________
૧૨૮
પાપ, પુણ્ય અને સંયમ ગૌતમ મુનિએ આ બારે પ્રતિમાઓ સૂત્ર અનુસાર, આચાર અનુસાર, માર્ગ અનુસાર, સત્યતાપૂર્વક, અને સારી રીતે સ્પર્શી, પાળી, શાભાવી અને સમાપ્ત કરી.૧
ત્યાર પછી ગૌતમ મુનિએ ભગવાન પાસેથી “ગુણરત્નસંવત્સર' નામનું તપ સ્વીકારવાની પરવાનગી માગી; અને તે તપ પણ આગળ (પા. ૯૯ ઉપર) જણાવ્યા પ્રમાણે બરાબર પાળ્યું.
પરંતુ તે તપ આચર્યા બાદ તે અત્યંત દુર્બળ થઈ ગયા, અને તેમને વિચાર આવ્યો કે, “હું અનેક પ્રકારના તપકર્મથી દૂબળો થઈ ગયો છું, અને બોલતાં બોલતાં પણ થાકી જાઉં છું, તથા ચાલું છું ત્યારે પણ સૂકાં પાંદડાં વગેરેથી ભરેલી સગડીઓ ઢસડાતી હોય તે અવાજ થાય છે. આવી સ્થિતિમાં પણ જ્યાં સુધી હજુ મારામાં ઊઠવાની શક્તિ છે, ત્યાં સુધી મારા ધર્માચાર્ય ભગવાન અરિષ્ટનેમિ પાસે જઈને મરણત ઉપવાસ સ્વીકારું, અને શત્રુંજય પર્વત ઉપર જઈ સંલેખન વ્રતથી દેહત્યાગ કરું.”
એ પ્રમાણે કરી ભગવાનની પરવાનગી મેળવ્યા બાદ ગૌતમ મુનિ શત્રુંજય પર્વત ઉપર થોડા ઉત્તમ સ્થવિર સાથે ચડડ્યા, અને કાળી શિલાનો ભાગ જોઈ–તપાસી, પાસે મલ-મૂત્રનાં સ્થાને પણ સંભાળી લઈ શિલા ઉપર દાભને સંથારે પાથરી, પૂર્વ દિશામાં મુખ રાખી, પદ્માસને બેસી, દશે નખ સહિત
૧. આ પ્રતિમાઓ આચરવાની લાયકાત, પૂર્વતૈયારી વગેરે વિગતે માટે જુઓ આ માળાનું “શ્રીભગવતી–સાર” પુસ્તક, પા. ૧૮૦-૧ અથવા શ્રીહરિભદ્રસૂરિફત “શ્રીપંચાશક', ૧૮, ગા૦૧ થી ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org