________________
- ગૌતમકુમારની કથા
૧૭ બહાર એકલા રહી, એક મહિના સુધી અન્ન અને પાણીની એક “દત્તિ” વડે જ જીવવું, તે પહેલી પ્રતિમા. [દત્તિ' એટલે દાન દેનાર જ્યારે અન્ન કે પાણી પીરસે ત્યારે એક ફેરે એક ધારમાં જ જેટલું આવે તેટલું જ ખાઈને જીવવું તે.] બીજી પ્રતિમામાં બે માસ સુધી અન્ન અને પાણીની બે “દત્તિ” લેવાની હોય છે. એ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, અને સાતમી પ્રતિમામાં અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ, અને સાત દત્તિઓ અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ, અને સાત માસ સુધી લેવાની હોય છે. આઠમી પ્રતિમામાં સાત રાત્રીદિવસ પાણી પીધા વિના એકાંતરા ઉપવાસ કરવાના હોય છે, અને પારણમાં આંબેલન કરવાનું હોય છે; ગામની બહાર રહેવાનું હોય છે; ચતા કે પડખે સૂવાનું હોય છે; તથા ઉભડક બેસીને જે કાંઈ કષ્ટ પડે તે સહન કરવાનું હોય છે. ૯મી પ્રતિમામાં તેટલાં જ રાત્રીદિવસ તે પ્રમાણે જ ઉભડક રહેવાનું હોય છે, તથા વાંકા લાકડાની પેઠે સૂવાનું હોય છે; ૧૦ મી પ્રતિમામાં પણ તેટલા જ રાત્રી દિવસ તે પ્રમાણે જ ગોદહાસન અને વીરાસનમાં રહેવાનું તથા સંકોચાઈને બેસવાનું હોય છે. ૧૧ મી પ્રતિભામાં પાછું વિનાને છ ટંકનો ઉપવાસ કરવાનું હોય છે, અને એક રાત્રીદિવસ ગામ બહાર હાથ લંબાવીને રહેવાનું હોય છે. ૧૨ મી પ્રતિમામાં આઠ ટંકનો ઉપવાસ કરી, એક રાત્રી નદી વગેરેને કાંઠે ભેખડ ઉપર આંખો પટપટાવ્યા વિના રહેવાનું હોય છે.
૧. એટલે કે, ઘી-દૂધ વગેરે રસ વિનાનું ભાત વગેરે અન્ન એક વાર ખાવું, અને ગરમ પાણી પીવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org