________________
પ્રગટે. તેને માટે તો સળગતી જ્યોત જ મેળવવી પડે. એટલે સવ પુણ્યના મૂળ કારણ તરીકે એકલા સત્સંગને જ રજૂ કરવામાં શાસ્ત્રકારે ભારે ઝીણવટ વાપરી છે, એ આપણે કબૂલ કરવું જોઈએ. બાકી, માત્ર ધાકથી, કે માત્ર લાલચથી માણસને કદી પુણ્યશાળી કરી શકાયો નથી અને કરી શકાશે પણ નહીં. જો કે, કથાકારે એ સૂક્ષ્મ વસ્તુને જે રીતે રજૂ કરી છે, તે રીતે તો તેમાંથી એવું સમજાઈ જવાનો સંભવ છે કે, માત્ર સાધુને જમાડીએ, એટલે બધું આપોઆપ મળી જાય! અને આજે જૈન શું, બધા ધર્મોમાં એવી ભ્રમણું દઢમૂળ થઈ ગઈ દેખાય છે. સાધુસંતોને સમાજ સાથે જોડી રાખનારે એકમાત્ર રસ્તો ભિક્ષા છે; તેને કારણે જ સાધુસંતે પિતાનું નિર્જન એકાંત છેડી સમાજમાં આવે; અને ગૃહસ્થ પણ તે દ્વારા જ તેમને સંપર્ક સાધી શકે–એ બધુ ખરું; પણ ગૃહસ્થ ભિક્ષા આપીને જ કૃતાર્થતા માને, તો તો ભારે હાનિ જ થાય. સાધુના સંપર્કથી તેણે કાંઈક લાભ ઉઠાવવો જોઈએ; તો જ તે સંપર્કનું કાયમી કે કાંઈક નક્કર ફળ તેને મળ્યું કહેવાય. અલબત્ત, સાચો સાધુપુરુષ, આપણુમાં જ્યોત જગાવે છે ત્યારે, તે તેણે ધર્મોપદેશથી કે શાનાથી જગાવી એ કહેવું મુશ્કેલ છે; તેથી જ કથાકારે માત્ર સાધુભિક્ષાને જ પુણ્યરૂપ જણાવીને થંભી જવું કદાચ મેગ્ય માન્યું હોય. ધર્મતત્ત્વને હૃદયમાં ઉદય થવો એ વસ્તુ એવી ગૂઢ છે કે, તેનાં કારણેની તપાસમાં પડવું એ વ્યર્થ મહેનત છે. તેને માટે કહી શકાય તેવું કોઈ કારણ હોય તો તે એ જ છે કે, સાચા સપુરુષનો સંપર્ક અને કથાકારે તેને જ આગળ ધરીને સંતોષ માન્યો છે, એ યોગ્ય જ ક્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org