________________
ધન્યની કથા પૂર્વે કાકંદી નામે નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેમાં ભદ્રા નામે તાલેવંત શેઠાણું રહેતી હતી. તેને ધન્ય નામે પુત્ર હતો. તેને બહુ લાડ-પાડમાં ઠાઠ-માઠથી ઉછેરવામાં આવ્યો હતો, તથા જુવાનીમાં આવતાં તેને ખાનદાન કુળની તથા સમૃદ્ધ ઘરની ૩૨ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો હતો. ભદ્રાશેઠાણીએ તે દરેક સ્ત્રી દીઠ એક એક મહેલ પુષ્કળ સાધનસંપત્તિથી સજાવીને તૈયાર કરાવ્યો હતો; અને પહેરામણીમાં તે દરેકને પુષ્કળ પ્રીતિદાન આપ્યું હતું. ધન્ય પિતાની યુવાન અને સ્વરૂપવતી સ્ત્રીઓ સાથે અનેક પ્રકારનાં નાટયગીત-નૃત્ય વગેરેથી આનંદ કરતા, તથા ઋતુ અનુસાર ભાગે ભગવતે વિહરતો હતો.
- એક વખત મહાવીર ભગવાન તે નગરીમાં પધાર્યા. તેમનાં દર્શને જતા અનેક લોકોને જેઈ ધન્ય પણ સ્નાનાદિથી પવિત્ર થઈ તેમનાં દર્શને ગયે, અને તેમને વંદનાદિ કરી તેમને ધર્મોપદેશ સાંભળવા લાગ્યો.
બિહારમાં ગોરખપુર લાઈન ઉપર આવતા નેનવાર સ્ટેશનથી દોઢ માઈલ ઉપર આવતું આજનું ખુનંદા જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક પા. ૨૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org