SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ જાલીકુમારની કથા તપથી પુષ્ટ હતા; જો કે માંસ અને લોહીથી ક્ષીણ હતા. તેમ છતાં રાખમાં ભારેલા અગ્નિની જેમ તપ અને તેજયુક્ત હતા. હવે એક દિવસે રાત્રીને પાછલે પહેરે જાગતાં જાગતાં તથા ધર્મ વિષે વિચાર કરતાં તે મુનિના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયે: “હું અનેક પ્રકારના તપકર્મથી દૂબળો થઈ ગયો છું; બોલતાં બોલતાં પણ થાકી જાઉં છું; તથા ચાલું છું ત્યારે પણ સૂકાં પાંદડાં વગેરેથી ભરેલી સગડીએ ઢસડાતી હોય તે અવાજ થાય છે. આવી સ્થિતિમાં પણ હજુ જ્યાં સુધી મારામાં ઊઠવાની શક્તિ, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર – પરાક્રમ છે, ત્યાં સુધી હું મારા ધર્માચાર્ય શ્રમણભગવંત પાસે જઈ, અનશનવ્રત સ્વીકારું. આવતી કાલે જ મળસકું થયા પછી, રાજગૃહનગરમાં પધારેલા મહાવીર ભગવાન પાસે જઈ, તેમની અનુમતિ લઈ, પાંચ મહાવ્રતો ફરી ધારણ કરી, શ્રમણ તથા શ્રમણુઓની ક્ષમા માગી, ઉત્તમ સ્થવિરે સાથે વિપુલ પર્વત ઉપર ધીમેધીમે ચડી, કઈ કાળી શિલાને જોઈ–તપાસી, તેના ઉપર ડાભનો સાથર પાથરી, ખાનપાનનો ત્યાગ કરી, ભારણાંતિક સંખના’ વ્રત હું સ્વીકારું તથા મૃત્યુની કાંક્ષા તજી, વૃક્ષની પેઠે સ્થિર થાઉં.' તે પ્રમાણે બીજે દિવસે ભગવાનની અનુમતિ મેળવી તે મુનિ વિપુલપર્વત ઉપર ગયા અને ત્યાં ડાભના સાથરા ઉપર અંતિમ વ્રત સ્વીકારીને સૂતા. એ પ્રમાણે સાઠ ટક વીતાવી. પોતે કરેલા દેની કબૂલાત (આલોચના) તથા પ્રાયશ્ચિત્તાદિ કરી, તે મુનિ સમાહિત અવસ્થામાં મરણ પામ્યા. સાધુપણામાં ૧. આલોચના પછી પ્રતિક્રમણ કરવાનું હોય છે. પ્રતિક્રમણ એટલે શુભ આચારમાંથી ખસી, અશુભ આચારમાં જે ક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy