________________
૧૦૦
પાપ, પુણ્ય અને સંયમ આવતું હોય તેવી જગામાં ઉભડક બેસી રહેવું; તથા રાત્રીએ કાંઈ પણ વસ્ત્ર એડ્યા કે પહેર્યા વિના વીરસિને બેસી રહેવું. પછી બીજે મહિને તે જ પ્રમાણે છે ટંકના ઉપવાસ કરવા. ત્રીજે મહિને આઠ ટંકના; ચોથે મહિને દશ ટંકન . . . . એમ અનુક્રમે સામે માસે ચોત્રીસ રંકને ઉપવાસ કરવા, તથા દિવસ અને રાત દરમ્યાન જે રીતે બેસવાનું શરૂઆતમાં જણાવ્યું છે તે જ કાયમ રાખવું.
આ પ્રમાણે ઉદાર (આશા વિનાના), વિસ્તીર્ણ, કલ્યાણરૂ૫, મંગળરૂપ, શોભાયુક્ત, ઉત્તમ, ઉજજવળ, અને મેટા પ્રભાવવાળા તપકર્મથી જાલી મુનિ શુષ્ક થઈ ગયા ભૂખને પ્રભાવે રૂખા થઈ ગયા, માંસરહિત થયા, તથા માત્ર હાડકાં અને ચામડાથી જ ઢંકાયેલા રહ્યા. તે ચાલતા ત્યારે તેમના શરીરનાં બધાં હાડકાં ખડખડતાં હતાં. તેમના શરીરની બધી નાડીઓ ઉપર તરી આવી હતી. હવે તે માત્ર આત્મબળથી જ ચાલવું–બેસવું વગેરે ક્રિયાઓ કરી શકતા હતા તે એટલા બધા દુર્બળ થઈ ગયા હતા કે, બોલી રહ્યા પછી,
અને બોલતાં બોલતાં તથા બલવાનું કામ પડે ત્યારે પણ ગ્લાનિ * પામતા હતા. સૂકાં પાંદડાં, તલ કે તેવા સૂકા સામાનથી ભરેલી સગડીને કેાઈ ઢસડે, ત્યારે જે અવાજ થાય, તે જ અવાજ તે જાલી મુનિ ચાલતા ત્યારે પણ થતો. તે મુનિ
૧. નિતંબને ભાગ જમીનને ન અડકે તેમ.
૨ અર્થાત્ સિંહાસન વિના જ, સિંહાસન ઉપર બેઠા હોઈએ તેમ ઊભા રહેવું.
૩. આ બધાની વિગત માટે જુઓ આ માળાનું “ભગવતી-સાર” નામે પુસ્તક, પા. ૧૮૨. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org