________________
હ..
પાપ, પુણ્ય અને સચમ અગિયાર અંગોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ ચાર ટંક ન ખાવું, આઠ ટંક ન ખાવું વગેરે વિવિધ તપકર્મ પણ તેણે વિધિપૂર્વક આચર્યું અને ઠીકઠીક આત્મશુદ્ધિ સાધી. એ પ્રમાણે ઘણાં વર્ષ સુધી શ્રમણુપણું પાળતાં પાળતાં જ્યારે તેણે જોયું કે, હવે તેનું શરીર અતિ કૃશ થઈ જવાથી વધુ કામ આપે તેવું રહ્યું નથી, ત્યારે તેણે મરતાં લગી ન ખાવાનું મારણાંતિક સંખના વ્રત સ્વીકાર્યું. તથા પવિત્ર સ્થાનમાં જઈને જંતુરહિત સ્થળે દાભનું બિછાનું બિછાવ્યું, અને આહારદિને ત્યાગ કર્યો. પછી જીવિત કે મરણની કામના ત્યાગીને, પોતાના તપના બદલામાં અમુક ફળ મળે એવું કાંઈ નિદાન (સંકલ્પ) કર્યા વિના તેણે રહેવા માંડ્યું. એ પ્રમાણે ૬૦ ટંક ખાધા વિના વિતાવી, તથા અંતે જીવિત દરમ્યાન પિતે કરેલા દોષોની કબૂલાત તથા પ્રાયશ્ચિત્તાદિ કરી લઈ તે સમાધિપૂર્વક મરણ પામ્યા, અને સૌધર્મક૯૫માં દેવ તરીકે ઉત્પન્ન થયું. ત્યાંનું આયુષ્ય પૂરું થયે, ત્યાંથી અવીને ફરી તે મનુષ્યજન્મમાં આવશે. તે જન્મમાં પણું તે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરશે અને ચોગ્ય સ્થવિરો પાસે દીક્ષા લઈ સાધુ થશે. ત્યાંથી મરણ પામી તે સનકુમાર કપમાં દેવ તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ફરી મનુષ્યજન્મમાં
' ૧. તેમના વર્ણન માટે જુઓ આ માળાનું “સંયમધર્મ” પુસ્તક–ઉપેદુધાત. • ૨. તેના વિશેષ વર્ણન માટે જુઓ આ માળાનું દશ ઉપાસકે” પુસ્તક પા. ૭૫.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં૦ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org