________________
સુબાહુની કથા તેમના સહવાસમાં રહેવાની મને પ્રબળ ઈચ્છા છે, માટે તમે મને સાધુ થવાની રજા આપે.”
કઈ વાર નહીં સાંભળેલું એવું આ વચન સાંભળતાં જ સુબાહુકુમારની માતા મૂછિત થઈને જમીન ઉપર ઢળી પડી. પછી અનેક ઉપચારે વડે ભાનમાં આવતાં તે રડતી રડતી તથા શેક કરતી અને વિલાપ કરતી પિતાના પુત્રને તેના નિશ્ચયમાંથી પાછો ફેરવવા માટે સમજાવવા લાગી. પરંતુ સુબાહુકુમાર કેમે કર્યો ચળ્યો નહીં. ત્યારે છેવટે તેને લઈ તેનાં માતપિતા ધામધૂમથી ભગવાન મહાવીર પાસે આવ્યાં અને તેમને પ્રદક્ષિણાદિ કરી બોલ્યાં, “ હે દેવાનુપ્રિય ! આ અમારે એકનો એક પુત્ર અમારા પ્રાણ સમે છે, તથા અમારે માટે ઉંબરાના ફૂલ જેવો દુર્લભ છે. આપને ઉપદેશ સાંભળ્યા બાદ હવે તે કામોગામાં બંધાવા ઈચ્છતો નથી; તથા સંસારના ભયથી તેને ઉગ થયો છે, માટે આપ તેને આપના શિષ્ય તરીકે સ્વીકારે.”
મહાવીરે ત્યારબાદ સુબાહુને દીક્ષા આપી. પછી તેનાં માતાપિતા તેને આશીર્વાદ આપી પાછાં ફર્યો.
સુબાહુ, પણ ભગવાનને ઉપદેશ સારી રીતે સ્વીકારી, તેમની આજ્ઞા મુજબ ચાલવા લાગ્યો. તે ચાલવામાં, બેલવામાં, ખાનપાન લાવવામાં, પોતાનો સરસામાન લેવામૂકવામાં, મળમૂત્ર તથા મુખ, કંઠ અને નાકને મેલ વગેરે નિરુપગી વસ્તુઓ નાખી આવવામાં સાવધાન રહેત; મન-વાણુંકાયાની ક્રિયાઓમાં સાવધાન રહેત; તેમને વશ રાખતો, ઈકિય-. નિગ્રહ આચરતા તથા સુસંયતપણે બ્રહ્મચર્ય ધારણ કરતો વિચરતો હતો. તેણે ભગવાનના ગૃહ શિષ્ય (સ્થવિર) પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org