________________
૮૮
પાપ, પુણ્ય અને સંયમ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે; તે રાજા – શેઠ – સંઘવી આદિને ધન્ય છે, જેઓ શ્રમણ ભગવાન મહાવીર પાસે ઘરબાર છોડી સાધુ થવાની દીક્ષા લે છે; તે રાજા – શેઠ – સંઘવી આદિને ધન્ય છે, જેઓ તેમની પાસે અણુવ્રતાદિવાળા ગૃહસ્થધર્મની દીક્ષા લે છે; તે રાજા – શેઠ – સંઘવી આદિને ધન્ય છે, જેઓ તેમની પાસે ધર્મોપદેશ સાંભળે છે. હવે જે ભગવાન મહાવીર ફરતા ફરતા આ નગરમાં આવે, તો હું તેમની પાસે ઘરબાર છોડી સાધુ થવાની દીક્ષા જરૂર લઉં.”
ભગવાન મહાવીર સુબાહુકુમારનો આ પ્રકારનો સંકલ્પ જાણી, એક ગામથી બીજે ગામ એમ ક્રમે ક્રમે ફરતા ફરતા હતિશીર્ષ નગરમાં આવી પહોંચ્યા. તેમને આવેલા જાણું નગરજનો વગેરે સૌ તેમને દર્શને ગયા. સુબાહુકુમાર પણ અત્યંત હર્ષિત થઈ તેમનાં દર્શને ગયો. પછી તેમને ઉપદેશ સાંભળી, અત્યંત પ્રસન્નતા અનુભવતો તથા તેમને ફરી ફરી નમસ્કાર કરી તેમની વારંવાર ઉપાસના કરતે તે કહેવા લાગ્યો : “હે ભગવન્ ! તમારું કથન મને ગમ્યું છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુક્ત થાઉં એમ ઈચ્છું છું. હે દેવાનુપ્રિય ! હું મારાં માતાપિતાની સંમતિ લઈ આવું અને પછી તમારા સહવાસમાં રહી તમારી આજ્ઞા પ્રમાણે
વતું.”
ભગવાનને આ પ્રમાણે કહી સુબાહુકુમાર રથમાં બેસી ઉતાવળો ઉતાવળો પિતાને ઘેર આવ્યા, તથા પિતાનાં માતાપિતાને નમસ્કાર કરી કહેવા લાગ્યોઃ “હે માતપિતા! આજે હું ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી આવ્યો છું. તે મને ખૂબ ગમે છે. તેથી તેમના ઉપદેશ પ્રમાણે વર્તવાની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org